બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Farmers to rally in Delhi today over MSP Act

MSP કાયદો / ખેડૂતોએ ફરી વધાર્યું મોદી સરકારનું ટૅન્શન, હવે રાકેશ ટિકૈત કરશે આ મોટું કામ

Ronak

Last Updated: 12:06 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએસપી કાયદાને લઈને ખેડૂતો આજે દિલ્હીમાં રેલી કાઢવાના છે. જેમા ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે એમએસપી કાયદો બનશે પછીજ ખેડૂતોને ફાયદો થશે

  • ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપ્યું મોટુ નિવેદન 
  • કહ્યું MSP કાયદો બન્યા પછી જ ખેડૂતોને ફાયદો થશે 
  • દિલ્હીમાં આજે ખેડૂતો રેલી કાઢશે 

નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે જે બજેટ રજૂ કર્યું તેમા તેમણે રેકોર્ડ એમએસપી વીશે પણ જણાવ્યું. જોકે આ મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે MSP કાયદો બન્યા પછીજ ખેડૂતોને ફાયદો થશે. આ મુદ્દે ખેડૂતો આજે દિલ્હીમાં રેલી નિકાળશે. હરિયાણાની કુંડલી બોર્ડરથી દિલ્હીના જંતર મંતર સુધી ખેડૂતો એમએસપી કાયદા માટે પગપાળા કૂચ કરવાના છે. 

શેરડીના કાયદા પર કહી મોટી વાત

બજેટ પછી રાકેશ ટિકૈતે કહ્યું કે શેરડીના કાયદામાં જો 14 દિવસમાં રૂપિયા નથી મળતા તો તેનું વ્યાજ પણ આપવામાં આવે છે. પરંતુ તે નથી મળતું. ભાજપ સરકારની કામગીરી પર સાવલ કરતા તેમણે કહ્યું કે 5 વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતા માર્ચથી ચુકવણી કરવામાં નથી આવી. 

સરકાર તેમનો વાયદો પૂરો કરે : રાકેશ ટિકૈત 

અગાઉ ન્યૂનતમ સમર્થમ મૂલ્યમાં સરકારથી નારાજ ભારતીય  કિસાન યૂનિયને 31 જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવ્યો હતો. રાકેશ ટિકૈતે સરકાર પર ભરોસો તોડવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે સરકારે વાયદો આપ્યો તેમ છતા એમએસપી પર કાયદો નથી બની રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે અમારી માગ છે કે કેન્દ્ર સરકાર તેમનો વાયદો પૂરો કરે જલ્દીથી જલ્દી એમસપી કાયદો બનાવે. 

19 નવેમ્બરે ત્રણેય કાયદા પરત લીધા હતા 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ગરુનાનક જયંતીની 552મી જયંતીએ 19 નવેમ્બરના રોજ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાનું એલાન કર્યું હતું. બાદમાં 9 ડિસેમ્બરના રોજ આંદોલનને પરત ખેચી લેવામાં આવ્યું હતું. સિંધુ અને ટીકરી બોર્ડર પર આંદોલનની શરૂઆત 26 નવેમ્બર 2020 થઈ હતી. બાદમાં એક વર્ષ સુધી ખેડૂતો ત્યા બોર્ડર પરજ ઘર બનાવીને રહી રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ