ખેડૂત વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે. જેથી સંયુક્ત ખેડૂત મોર્ચાએ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આજે દેશભરમાં કળો દિવસ મનાવવાનું આહ્વાન કર્યુ છે
વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે
પ્રદર્શન કરનારા લોકોને ભેગા કરવાની પરવાનગી નથી
કોંગ્રેસ સહિત 14 પ્રમુખ વિપક્ષી દળોનું સમર્થન
વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે
કોરોના મહામારીની વચ્ચે સંયુક્ત ખેડૂત મોર્ચાએ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આજે દેશભરમાં કળો દિવસ મનાવવાનું આહ્વાન કર્યુ છે. કેમ કે આજે તેમના વિરોધ પ્રદર્શનને 6 મહિના પુરા થઈ રહ્યા છે. ખેડૂતોએ તમામ દેશવાસીઓ પાસે સમર્થન માંગતા પોતાના ઘર અને વાહન પર કાળો ઝંડો લગાવવા અને મોદી સરકારના પુતળુ સળગાવવાની અપીલ કરી છે. ખેડૂતોએ આ આહ્વાનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ સતર્ક થઈ ગઈ છે.
પ્રદર્શન કરનારા લોકોને ભેગા કરવાની પરવાનગી નથી
દિલ્હી પોલીસના પ્રવક્તા ચિન્મય બિસ્વાસે કહ્યુ કે અમે ખેડૂતોને અપીલ કરી છે કે જે રીતે કોરોનામાં દુર્દશા થઈ અને લોકોના જીવ ગયા છે. એટલા માટે કોઈ કાર્યક્રમ કરવો અથવા ભીડ ભેગી કરવાના કારણે તે સ્થિતિ ફરી પેદા ન થાય. પ્રદર્શન કરનારા લોકોને ભેગા કરવાની પરવાનગી નથી. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ બિનકાયદેસરનું કામ કરશે અથવા કોરોનાના નિયમોને તોડવાનો પ્રયાસ કરશે તો અમે કડક કાર્યવાહી કરીશું. સીમાઓ પર એટલે કે ધરણા સ્થળ પર સુરક્ષા માટે દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમે સુરક્ષા વધારી છે.
કોંગ્રેસ સહિત 14 પ્રમુખ વિપક્ષી દળોનું સમર્થન
બીજી તરફ દેશના 14 પ્રમુખ વિપક્ષી દળોના સંયુક્ત ખેડૂત મોર્ચા દ્વારા આહૂત દેશવ્યાપી પ્રદર્શનને પોતાનું સમર્થન આપ્યુ છે. કોંગ્રેસ, જેડીએસ, એનસીપી, ટીએમસી, શિવસેના, ડીએમકે, ઝામુમો, જેકેપીએ, સપા, બીએસપી, આરજેડી, સીપીઆઈ, સીપીએમ અને આમ આદમી પાર્ટી પણ છે. સાથે કેન્દ્ર સરકારને ખેડૂત સાથે વાર્તા શરુ કરવાની માંગ કરી છે.
ખેડૂત નેતાઓએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો
ઉલ્લેખનીય છે કે 26 સપ્ટેમ્બરથી દિલ્હીની 3 સીમાઓ પર આંદોલન કરી રહેલા પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોની સાથે કેન્દ્ર સરકારે 11માં દોરની વાતચીતમાં કાયદાને સ્થગિત કરી આગળની ચર્ચા માટે કમિટી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ તેને રદ્દ કરવાની માંગ કરી રહેલા ખેડૂત નેતાઓએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. સરકાર અને ખેડૂત નેતાઓની વચ્ચે 22 જાન્યુઆરીએ અંતિમ બેઠક થઈ હતી. આ બાદ 26 જાન્યુઆરી ખેડૂત પ્રદર્શનના નામ પર ઘણી બબાલ થઈ. લાલકિલા પર હિંસા થઈ જેની તપાસ દિલ્હી પોલીસ કરી રહી છે.