ખેડૂત આંદોલનને લઇને જ્યારથી પૉપ સિંગર રિહાનાએ ટ્વીટ કર્યું છે, સમગ્ર દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા આ આંદોલન પર અટકી છે. તો ભારતીય કલાકારોએ સણસણતો જવાબ આપ્યો છે.
ઈન્ટરનેશનલ સેલેબ્સ દ્વારા ખેડૂત આંદોલનનું સમર્થન
ખેડૂત આંદોલન પર ઇન્ટરનેશનલ સેલેબ્સના ટ્વિટ
ભારતીય કલાકારોએ વિદેશી સેલેબ્સને બતાવ્યો અરીસો
પરિસ્થિતિ એવી થઇ ગઇ છે કે જેને આ આંદોલન સાથે કોઇ લેવા-દેવા નથી તેઓ પણ આના પર કોમેન્ટ કરી રહ્યા છે. આ યાદીમાં મિયા ખલીફાથી લઇને એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનું નામ આવી રહ્યું છે. હેવ અક્ષય કુમારે આ તમામ સેલેબ્સને અરિસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. જેને લઇને કંગના રણૌતે સણસણતો જવાબ આપ્યો હતો.
ખેડૂત આંદોલન પર નિવેદનબાજીથી લઇને વિફર્યા અક્ષય કુમાર
એક્ટરે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે, ખેડૂતો આપણા દેશનો એક મહત્વનો ભાગ છે. તેમની મુશ્કેલીઓની તમામ સંભવ સમાધાન કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસનું સમર્થન કરવું જોઇએ. જે પણ વિક્ષેપ પેદા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, તેના પર ધ્યાન ન આપવું જોઇએ. #IndiaTogether #IndiaAgainstPro. હવે અક્ષય કુમારે જે હેશટેગનો ઉપયોગ કર્યો છે તેનાથી સ્પષ્ટ સમજી શકાય છે કે તેઓ આ પ્રકારની નિવેદન બાજીથી નારાજ છે.
Farmers constitute an extremely important part of our country. And the efforts being undertaken to resolve their issues are evident. Let’s support an amicable resolution, rather than paying attention to anyone creating differences. 🙏🏻#IndiaTogether#IndiaAgainstPropagandahttps://t.co/LgAn6tIwWp
તેમણે વિદેશ મંત્રાલયના નિવેદનનું ખુલીને સમર્થન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત કોઇ પણ પરિસ્થિતિમાં બહારના લોકોને પોતાના એજન્ડા નહીં ચલાવવા દે. ત્યારે મંત્રાલય તરફથી તે સેલેબ્સને આકરો સંદેશ આપ્યો છે જે સતત આ સંવેદનશીલ મુદ્દા પર નિવેદનબાજી કરી રહી છે.
અક્ષય કુમારે પણ આ સંદેશ સમજી લીધો છે અને તેઓ પોતાના તરફથી પણ આ અપીલ કરવા માંગે છે કે આ ખેડૂત આંદોલનને એક આંતરરાષ્ટ્રિય મુદ્દો ન બનાવવો જોઇએ.
અજય દેવગન અને સુનીલ શેટ્ટીએ પણ કર્યું સમર્થન
અક્ષય કુમાર સિવાય અજય દેવગન અને સુનીલ શેટ્ટીએ પણ આ મુદ્દે ટ્વિટ કર્યું છે. બન્ને દિગ્ગજ એક્ટરોએ એકતાનો સંદેશ આપતા સ્પષ્ટ કરી દીધું છે કે કોઇ પણ બહારના પ્રોપેગેન્ડાના પ્રભાવમાં ન આવવાનું. એમ પણ કહેવામાં આવ્યું છે કે, અડધુ સત્ય હંમેશા ખતરનાક સાબિત થાય છે.
Don’t fall for any false propaganda against India or Indian policies. Its important to stand united at this hour w/o any infighting 🙏🏼#IndiaTogether#IndiaAgainstPropaganda
ડાયરેક્ટર કરણ જોહરે પણ આ વખતે ખેડૂતો મુદ્દે વિદેશી પ્રોપેગેન્ડાની નિંદા કરી છે. તેમણે જોર આપતા કહ્યું કે, અપણે બધાએ એકતા બનાવી રાખવાની જરૂર છે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો છે કે સમસ્યાનું સમાધાન થઇ જશે.
We live in turbulent times and the need of the hour is prudence and patience at every turn. Let us together, make every effort we can to find solutions that work for everyone—our farmers are the backbone of India. Let us not let anyone divide us. #IndiaTogether
વિદેશ મંત્રાલયે કહ્યું કે, એવી સ્થિતિમાં કોઇ પણ સેલેબ્રિટી દ્વારા સંવેદનશીલ ટ્વિટ કરવું અથવા હેશટેગ ચલાવવા જવાબદારી ભર્યું કામ નથી. તેઓ આ આંદોલનને એક આંતરિક મુદ્દો ગણાવતા એમ પણ કહ્યું છે કે, કોઇ પણ બીજા દેશની ટીકા-ટિપ્પણી સહન નહીં કરવામાં આવે.
પોપ સિંગર રિહાન્નાએ ટ્વિટર પર એક ન્યૂઝ શેર કર્યા છે, જેમાં ખેડૂત આંદોલનના કારણે પ્રભાવિત ઇન્ટરનેટ સેવાનો ઉલ્લેખ છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ખેડૂત આંદોલને કારણે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જ્યારે રિહાનાને ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે માહિતી મળી તો તે પણ ચૂપ ન રહી શકી. રિહાન્નાએ ન્યૂઝ આર્ટિકલને શેર કરતાં કેપ્શનમાં લખ્યું- આપણે આ વિશે વાત કેમ નથી કરી રહ્યાં? #FarmersProtest
રિહાન્નાનાને કંગનાએ સણસણતો જવાબ આપ્યો હતો
રિહાન્નાની ટ્વિટને જોઈ કંગના ભડકી ગઈ અને તેણે ટ્વિટને રિટ્વીટ કરીને લખ્યું કે, આ વિશે કોઈપણ વાત એટલા માટે નથી કરી રહ્યું, કારણ કે આ ખેડૂતો નથી પરંતુ આતંકવાદી છે, જે ભારતના ભાગલા પાડવા માંગે છે. જેથી ચીન જેવા દેશ અમારા રાષ્ટ્ર પર કબજો કરી લે અને યૂએસએ જેવી ચાઇનીઝ કોલોની બનાવી દે. તું શાંત બેસ બેવકૂફ. અમે લોકો તમારા જેવા મૂર્ખ નથી જેઓ પોતાના દેશને વેચી દે.
No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA...
Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a