ભાવનગરના કોળીયાકના દરિયામાં અવારનવાર લોકોના ડુબી જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અચાનક પાણીના મોજામાં પળવારમાં લોકોના ગરકાવ થઈ ડુબી જતા તેનું મોત નિપજતા હોય છે. તેવામાં હવે ભાવનગરમાં એક પરિવારના ત્રણ સભ્યોના ડુબી જતા મોત નિપજ્યાં છે.
ભાવનગરમાં 1 પરિવારના 3 સભ્યો ડૂબ્યા
કોળિયાકના દરિયામાં 1 પરિવારના 3 સભ્યો ડૂબ્યા
1 જ પરિવારના 3 લોકોના ડૂબી જતાં મોત
ભાવનગરમાં કોળિયાકના દરિયામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ડુબી જતા મોત નિપજ્યાં છે. જેમાં પિતા, પુત્ર અને પુત્રીનું ડુબી જતા મોત થયું છે. મૂળ બાવળા નજીકના માલપરા ગામનો પરિવાર હતો. મૃતક પિતા ધોળકા ગામે રેલવેમાં ફરજ બજાવતા હતા. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી.