ગડકરીએ જોર દઇને એક વાત પર ભાર આપતા કહ્યું કે, મોદીનાં નેતૃત્વમાં ભાજપની નવી સરકારનું ગઠન થશે. પ્રધાનમંત્રી પદ માટે તેમનાં નામ પર વિચારને વિશે પૂછવા પર ગડકરીએ કહ્યું કે, 'મેં એ અંદાજે 25થી 50 વાર સ્પષ્ટ કર્યુ છે. અમે મોદીજીનાં નેતૃત્વમાં ચૂંટણી લડ્યાં છીએ અને તે નિશ્ચિત રૂપથી એક વાર ફરીથી પ્રધાનમંત્રી બનશે.'
ગડકરીએ કહ્યું કે, 'એગ્ઝિટ પોલ અંતિમ નિર્ણય નથી પરંતુ સંકેત છે. જો કે, એગ્ઝિટ પોલમાં જે બાબત સામે આવી છે. તે પહેલાનાં પરિણામમાં પણ જોવાં મળેલ છે.'
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, એગ્ઝિટ પોલ એ અંતિમ પરિણામ નથી પરંતુ NDA સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસનાં કાર્યોનાં દમ પર ભાજપ એક વાર ફરીથી સત્તામાં આવવાનો સંકેત આપે છે. ભાજપનાં વરિષ્ઠ નેતા ગડકરી પ્રધાનમંત્રી મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર રિલીઝ કરવાનાં મોકા પર બોલ્યા હતાં. આ બાયોપિક આ જ શુક્રવારનાં રોજ પ્રદર્શિત થવા જઇ રહેલ છે. એક સવાલનાં જવાબમાં ગડકરીએ કહ્યું કે, 'એગ્ઝિટ પોલ એ અંતિમ પરિણામ નથી પરંતુ સંકેત છે. જો કે, એગ્ઝિટ પોલમાં જે બાબત સામે આવી છે. તે પહેલાનાં પરિણામમાં પણ જોવાં મળેલ છે.'
મોટે ભાગે એગ્ઝિટ પોલમાં મોદીનું બીજી વાર પ્રધાનમંત્રી બનવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આમાંથી કેટલાંક એગ્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળા NDAને લોકસભામાં જરૂરી બહુમતનો આંકડો 272ને પાર કરી જવા અને 300થી અધિક સીટો મળવાની વાત કહેવામાં આવી છે.
ગડકરીએ જોર આપીને કહ્યું કે, મોદીનાં નેતૃત્વમાં ભાજપની નવી સરકારનું ગઠન થશે. પ્રધાનમંત્રી પદ માટે તેમનાં નામ પર વિચારને વિશે પૂછવા પર ગડકરીએ કહ્યું કે, 'મેં એ અંદાજે 25થી 50 વાર સ્પષ્ટ કર્યુ છે. અમે મોદીજીનાં નેતૃત્વમાં ચૂંટણી લડ્યાં છીએ અને તે નિશ્ચિત રૂપથી એક વાર ફરીથી પ્રધાનમંત્રી બનશે.'
તેઓએ કહ્યું કે, 'દેશનાં લોકો એક વાર ફરી ભાજપ, પ્રધાનમંત્રી મોદી અને પાંચ વર્ષમાં અમારા દ્વારા કરવામાં આવેલ કામને સમર્થન આપી રહ્યાં છે. ...અને એગ્ઝિટ પોલ એ સંકેત છે.' ગડકરીએ કહ્યું કે, ભાજપ મહારાષ્ટ્રમાં 2014ની લોકસભા ચૂંટણીની જેમ જ સીટો હાંસલ કરશે.