એવી માન્યતા છે કે, ઈન્ટરનેટથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઘણી મદદ મળે છે. પરંતુ એક એવું સંશોધન થયું છે જે તમારી આ માન્યતાનો છેદ ઉડાડી દેશે. બ્રિટનની સ્વાનસી અને ઈટલીની મિલાન યુનિવર્સિટીએ સંયુક્ત રીતે કરેલા એક અભ્યાસમાં ઈન્ટરનેટની લત અને અભ્યાસ વચ્ચે નકારાત્મક સંબંધ હોવાનું તારણ સામે આવ્યું છે.
વર્તમાન સમયમાં શૈક્ષણિક પ્રકિયામાં ટેકનોલોજીની મદદથી જ્ઞાનના દરવાજા ખોલવાનું સરળ બન્યું છે. હાલની ટીચિંગ સિસ્ટમમાં ઈન્ટરનેટનો સદઉપયોગ એક નહીં હજારો શિક્ષકોની ગરજ સારી રહ્યો છે. ત્યારે આપણામાં એ માન્યતા બંધાઈ ગઈ છે કે, ઈન્ટરનેટના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં નોલેજનું સ્તર વધે છે. પરંતુ આપણી આ માન્યતાનો છેદ ઉડાડી તેવું એક નવતર સંશોધન સામે આવ્યું છે. એ શંશોધનનું તારણ જોઈને ઈન્ટનેટ સંબંધી તમારી માન્યતા કદાચ બદલાઈ જશે. આપને જણવા દઈએ કે, બ્રિટનની સ્વાનસી અને ઈટલીની મિલાન યૂનિવર્સિટીએ સંયુક્ત અધ્યયન કર્યું હતું. સંયુક્ત અભ્યાસના અંતે એ તારણ આપવામાં આવ્યું છે કે,
જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરે છે.
તે વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે અભ્યાસ સાથે એકાગ્ર થઈ શકતા નથી.
ઈન્ટરનેટનો વધારે ઉપયોગ કરનાર અભ્યાસમાં પાછળ રહી જાય છે.
ઈન્ટરનેટનો વધારે ઉપયોગ કરનારા અપેક્ષિત પરિણામ હાંસલ કરી શકતા નથી.
ઈન્ટરનેટનો વધારે ઉયોગ કરનાર વિદ્યાર્થીઓમાં એકલાપણાની ભાવના ઘર કરી જાય છે.
આ અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં ઈન્ટરનેટની લત અને શિક્ષણપ્રક્રિયા વચ્ચે નકારાત્મક સંબંધ જણાયો છે..ઈન્ટનેટમાં વધારે રસ દાખવનારા વિદ્યાર્થીઓ અભ્યાસમાં તાલમેલ જાળવી શકતા નથી. આવા વિદ્યાર્થીઓમાં ચિંતાનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું હતું. કેમ કે ઈન્ટનેટ પર સર્ફિગ દરમિયાન વધારે સમય સુધી વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા, મેલ અને બિન જરૂરી પેજિસ જોવામાં સમય વેડફતા હતા. જેના કારણે આવા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શક્યા ન હતા.
શૈક્ષણિક વાતાવરણ પર ગંભીર અસર પડે
આપને જણાવી દઈએ કે ઉચ્ચશિક્ષણ અને શૈક્ષણિક જીવન વચ્ચે સકારાત્મક ભાવનાની એક મોટી ભૂમિકા હોય છે. પરંતુ સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે, નેટની લત ધરાવતા વિદ્યાર્થીઓ પરિવાર અને મિત્રોથી દૂર રહેવાનું પસંદ કરે છે. આવા વિદ્યાર્થીઓ ઘરબહારની દુનિયામાં રુચિ લેવાનું છોડી દે છે. જેના કારણે તેમના શૈક્ષણિક વાતાવરણ પર ગંભીર અસર પડે છે.
આપને જણાવી દઈએ કે, બ્રિટનની સ્વાનસી અને ઈટલીની મિલાન યુનિવર્સિટીએ આ સંશોધન માટે દુનિયાની 285 યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓની મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા થતા ડિજિટલઉપકરણના ઉપયોગ, અભ્યાસ અન પરિણામનો અભ્યાસ કરાયો હતો. 25% વિદ્યાર્થીઓએ દૈનિક 4 કલાક ઓનલાઈન વીતાવ્યા હોવાનું સ્વીકાર્યું. 70% વિદ્યાર્થીઓએ રોજ 3 કલાક ઈન્ટરનેટનો ઉપયોગ કર્યાનું સ્વીકાર્યું. .40% વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર સરેરાશ 3 કલાક વીતાવ્યાનું સ્વીકાર્યું. માત્ર 30% વિદ્યાર્થીઓ જ શૈક્ષણિક માહિતી માટે નેટ સર્ચ કર્યું હતું.
વિદ્યાર્થીઓ પર ઈન્ટરનેટની વિપરિત અસર અંગેના સંશોધનમાં એ તારણ પણ સામે આવ્યું છે કે, ઈન્ટનેટની લતના કારણે અનેક પ્રકારની ક્ષમતા પ્રભાવિત થાય છે. જેમ કે લાગણીઓ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી, ભવિષ્યની યોજનાઓ અને શિક્ષણમાં તાલમેલ નહીં જાળવી શકવામાં નિષ્ફળતા જેમ અનેક પ્રકારે ક્ષમતાને નુકસાન થાય છે.
જે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટથી દૂર રહ્યા હતા તે વિદ્યાર્થીઓને આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડયો ન હતો. ઈન્ટરનેટની લતથી વ્યક્તિગત, શૈક્ષણિક અને સામાજિક જીવન પર પડતી વિપરિત અસરને જોતાં. દેશના વિદ્યાર્થીઓમાં સ્વયંભૂ જ રીતે `નો સોશિયલ મીડિયા પોલીસીનો અમલ થાય ' એ ખૂબ જરૂરી જ બની ગયું છે.