બેલેટથી મતદાન કરવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી મુદ્દે ચૂંટણીપંચે સોગંદનામું રજૂ કર્યું છે. આ સોંગદનામામાં EVM વિશ્વસનિય હોવાનો ઉલ્લેખ કરાયો છે.
બેલેટથી મતદાન કરવાનો મામલો
HCમાં થયેલી અરજી મામલે ચૂંટણીપંચનું સોગંદનામું
"બેલેટ પેપર સાથે છેડછાડ થઇ શકે પણ EVMમાં નહી"
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વધુ એક મહત્વના સામાચાર આવ્યા છે. બેલેટથી મતદાન કરવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી મુદ્દે ચૂંટણીપંચે સોગંદનામું રજૂ કર્યું છે. આ સોંગદનામામાં EVM વિશ્વસનિય હોવાનો ઉલ્લેખ કરાયો છે. તો સાથે VVPATની અમલવારી શક્ય નહીં હોવાની વાત પણ સોગંદનામામાં કરાઈ છે. VVPAT માટે ચૂંટણી પંચે કહ્યું કે, તેની અમલવારી માટે રાજ્ય સરકારે નિયમ બનાવેલો હોવો જોઇએ. તો સાથે બેલેટ પેપરથી ચૂંટણી માટેની અરજી પર પંચની રજૂઆત છે કે, બેલેટ પેપર સાથે છેડછાડ થઇ શકે પણ EVMમાં નહીં.
મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જુદા-જુદા દિવસે મતદાન યોજવા મામલે પણ કોંગ્રેસે હાઈકોર્ટના અરજી કરી છે. હાઈકોર્ટની સમક્ષ આ કેસ આવ્યા બાદ ચુકાદો આજે અનામત રખાયો છે. જે મામલે હાઈકોર્ટમાં ચૂંટણીપંચે રજૂઆત કરી છે કે, વર્ષ 2005થી મહાનગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓનું કાઉન્ટિંગ અલગ જ રાખવામાં આવે છે. એક જ દિવસે મત ગણતરી રાખવાથી વધુ સ્ટાફની જરૂર પડતી હોય છે.
સાથે ચૂંટણીપંચે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, અધિકારીઓ દરેક સ્થળે પહોંચી શકતા નથી. કોવિડના કારણે એક રૂમમાં 14ના બદલે 7 ટેબલ રાખી શકાય છે. કાઉન્ટિંગ અલગથી રાખવાથી કોઇ નુકસાન નથી. તો પંચે કહ્યું કે, અરજદારે આ મામલે, કોઈ પુરાવા આપ્યા નથી. રાજકીય હેતુથી અરજી કરવામાં આવી છે.