વિકાસ દુબેને એક મંત્રીએ આશ્રય આપ્યો હતો. કારોબારોનો પણ તેને સાથ મળ્યો તો વકીલના દિમાગથી તે ચાલ્યો હતો. તેની પુછપરછ કરનારા કાનપુરના પોલીસ અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે કે યોજના બનાવીને તેને મહાકાલ મોકલી તેની ધરપકડ કરાવવામાં આવી હતી.
તેણે હંમેશા ગુના માટે મંત્રીનો ઉપયોગ કર્યો છે
તેમની રહેમ નજર પર તે ગુનાઓને ઓપ આપતો રહ્યો અને બચતો રહ્યો હતો.
મંત્રીએ તેને એન્કાઉન્ટર ન થવાની ગેરંટી આપી હતી
નેતાઓને ઢાલ બનાવીને તે આટલા દિવસથી ફરાર થઈ ધૂમતો રહ્યો. વિકાસે પુછપરછમાં રાજનીતિક રક્ષા મળી હોવાની ખરાઈ કરી હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યાનુંસાર યુપી, મધ્ય પ્રદેશ સહિત કેટલાય રાજ્યોના નેતાઓ સાથે સંબંધ હતા. તેણે હંમેશા ગુના માટે તેનો ઉપયોગ કર્યો છે. તેમની રહેમ નજર પર તે ગુનાઓને ઓપ આપતો રહ્યો અને બચતો રહ્યો હતો. આ વખતે પણ એમ જ થયું હતુ.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર આ ઘટનાની જાણકારી પણ થોડા કલાકોમાં તેને થઈ ગઈ હતી. મંત્રીએ તેને ભરોસો આપ્યો હતો કે તે તેને બચાવી લેશે. આ સમગ્ર ઘટનામાં આ મંત્રીએ તેને સાથ આપ્યો હતો. આ જ ભરોસા પર તે વકીલની સલાહથી આમ તેમ છુપાઈ રહ્યો હતો. શહેર અને મધ્યપ્રદેશના એક દારુના વ્યાપારીએ તેનો સાથ આપ્યો હતો.
મંત્રીએ તેને એન્કાઉન્ટર ન થવાની ગેરંટી આપી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર વિકાસે કહ્યુ હતું કે તેને એન્કાઉન્ટરથી બચાવી લેશે. બસ તે કોર્ટમાં સરેન્ડર કરી દે અથવા સાર્વજનિક રીતે તે પકડાઈ જાય. જે મીડિયામાં વાયરલ થઈ જાય. જેથી તેણે આ માટે મધ્યપ્રદેશની પસંદગી કરી. મંત્રીનો મધ્ય પ્રદેશમાં દબદબો છે. જેથી તમામ ઘટના યોજના મુજબ થઈ.
થાનેદાર અને સીઓને હટાવી દેવા પર શંકા
ઉજ્જૈનના જે પોલીસ સ્ટેશનમાં વિકાસ દુબેની ધરપકડ થઈ તેના પીઆઈ અને સર્કિલ ઓફિસરને એક દિવસ પહેલા સાંજે હટાવી દેવામાં આવ્યા હતા. આનાથી મોટી શંકા ઉપજી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર શંકા છે કે ષડયંત્ર હેઠળ તેની ધરપકડ કરાવવા માટે ખાસ થાનેદાર અને સીઓની પોસ્ટિંગ કરવામાં આવી છે. એ બાદ તેની ધરપકડ થઈ. આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.