અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યંમત્રી હાજર રહ્યા હતા. ત્યારે નીતિનભાઇ પટેલે પોતાની ટીખળ કરવાની ટેવ પ્રમાણે કહ્યું હતું કે, હું એકલો છું અને મને એકલો પાડવાના પ્રયાસ થઈ રહ્યાં છે. ત્યારે આ મુદ્દો આજે વિધાનસભા સત્રમાં ગુંજ્યો હતો.
નીતિન પટેલની 'હું એકલા'નો મુદ્દો ગૃહમાં ગુજ્યો
કોંગ્રેસે કહ્યું નીતિનભાઇ તમે એકલા નથી
તમે મુખ્યમંત્રી બનો, કોંગ્રેસ તમારી સાથે - ઠુમ્મર
બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ મામલે કોંગ્રેસે કહ્યુ કે, નીતિનભાઈ તમે એકલા નથી. તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે મજાક કરતા કહ્યુ કે, નીતિનભાઈ તમે 15 ધારાસભ્યને લઇને આવો અમે તમને મુખ્યમંત્રી બનાવીશું, કોંગ્રેસ તમારી સાથે છે. આ મારી વ્યક્તિગત વાત છે અને જો આમ થાય તો હું મારા પક્ષને મનાવીશ.
શું કહ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ ?
છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી અવગણાને લઈને ઉમિયા ધામના કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું હતુ કે, મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે, પરંતુ સમય આવે હું યાદ આવી જ જાઉ છું. હું જ્યાં છું ત્યાં એમ જ નહીં પહોંચાતું. તમે ટીવીમાં અને છાપામાં જોતા જ હશો કે એકબાજુ બધા અને એકબાજુ હું એકલો... નીતિન પટેલે આ રીતે હળવી ટીખળ કરતા આ નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે.
ફરીવાર નીતિન પટેલે આડકતરી રીતે પક્ષ પર સાધ્યું નિશાન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આ નિવેદન બાદ ફરી એકવાર તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. અને અગાઉ પણ નિતીનભાઈ આવા નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યાં છે પરંતુ હવે જોવાનું તે રહેશે કે નિતીનભાઈનો આ વખતે કોના તરફ ઈશારો જઈ રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમમાં જીતુ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અનેક ધારાસભ્યો હાજર હતાં.
જીગ્નેશ મેવાણીએ કર્યો કટાક્ષ
જીગ્નેશ મેવાણીએ શાયરાના અંદાજમાં નીતિન પટેલની સ્થિતિ વર્ણવી હતી. મેવાણીએ કહ્યું કે, આંશુઓની ધાર કરતા પણ સ્થિતિ આ તેજ છે, આંખમાં વરસાદ નહીં પાંપણો પર ભેજ છે..!. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, નીતિન પટેલ સત્તાધારી પક્ષ છોડી વિપક્ષમાં આવી જાવો, આપણે બંન્ને ઉત્તર ગુજરાતના છીએ, વિપક્ષમાં એકલા પડવા નહીં દઉં.