ગુજરાતની ઓળખ એટલે ગરબા. નવ દિવસ ચાલતો આ નવરાત્રીનો ઉત્સવ દેશ વિદેશમાં જાણીતો છે. સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ છે નવરાત્રી. પણ આ વર્ષે કોરોનાએ સૌ કોઈને છેતર્યા છે અને કોઈને કોઈ ઉત્સવ મનાવવા નથી દીધો ત્યારે આજે ફરીથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે એક રાહતનું નિવેદન આપ્યું હતુ.
નવરાત્રી અંગે વિચારણા કરી રહ્યા છીએ
નવરાત્રી પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે
શક્ય તેટલી રાહત આપવા અંગે ચાલી રહી છે વિચારણા
ગુજરાતમાં નવરાત્રીને લઈને ખૈલયા અને આયોજકો બંનેમાં થનગનાટ જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી ત્યારે અંગે વિચારણા ચાલી રહી થે કે, નવરાત્રી થશે કે નહીં?
DYCM નીતિન પટેલે જણાવ્યું હતુ કે, આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે જ લેવાશે પણ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે અને શક્ય હોય તેટલી રાહત આપવા અંગે જ હાલ પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રી પહેલા જાહેરાત કરશે.
રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ
ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1329 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,08,295 પર પહોંચ્યો છે. તો આજે 1336 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.01% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,328 છે. આજે સંક્રમણથી 16 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3152 પર પહોંચ્યો છે.
મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 266, અમદાવાદમાં 171 કેસ, રાજકોટમાં 154 સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે.
સૌથી વધુ આ જિલ્લામાં સાજા થયા દર્દી
રાજ્યમાં આજે 1336 દર્દીઓ સાજા થયા છે જેમાં સૌથી વધુ સુરતમાં 276, જામનગરમાં 113, રાજકોટમાં 240 દર્દીઓ સાજા થયા છે.
અમદાવાદમાં થયાં સૌથી વધુ મોત
આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 16 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે. જેમાં અમદાવાદમાં 4 દર્દીઓના મોત થયાં છે. ત્યારબાદ સુરતમાં 4, રાજકોટમાં 2, ગાંધીનગર 2, મહિસાગર 1, સુરેન્દ્રનગર 1 અને વડોદરામાં 2 લોકોના મોત થયાં છે.
આજે 75,936 કોરોના વાયરસના ટેસ્ટ થયા
રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 75,936 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,01,383 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.