બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka temple closed from 17th January to 23rd January
Vishnu
Last Updated: 08:38 PM, 16 January 2022
વધતા કોરોના સંક્રમણને લઇને દ્વારકા જગત મંદિરને બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસને લીધો છે.17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે...આ દરમિયાન પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ પૂજા-આરતી કરશે.તથા જગત મંદિરની વેબસાઇટ પરથી ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે.
વડતાલ સ્વામીનારાયણ મંદિરે પણ કર્યો નિર્ણય
યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિરે પણ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા મંદિર દ્વારા શાકોત્સવ ઉત્સવ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ દૂર આવનાર લોકોને પૂનમના દિવસે તેમજ સામાન્ય દિવસે પણ જ્યાં સુધી કોરોના સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી દર્શન કરવા ન આવવા મંદિર તરફથી અપીલ કરવામાં આવી છે તેમજ ત્યાંના સ્થાનિક ભક્તો માટે વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ હોય તો જ મંદિરના પટાંગણમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઠારી ડૉ. સંત વલ્લભદાસજી સ્વામીએ વધુમાં કહ્યું છે કે ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા ઊભી કરવામાં આવી છે તેનો ભક્તો લાભ લઈ શકે છે.
શક્તિપીઠ બહુચરાજી આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ
મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજી આવતીકાલથી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. 22 જાન્યુઆરી સુધી મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરાયો છે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો છે.
અન્ય કયા કયા મંદિર બંધ?
કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે રાજ્યના અનેક મોટા મંદિરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં એક બાદ એક મંદિરના સંચાલકોએ વધતા સંક્રમણને લઈ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.ગત રોજ અંબાજી ટ્રસ્ટે પોષી પૂનમના દરેક કાર્યક્રમો રદ કરી મંદિરને 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારે આજે રાજ્યના બીજા ત્રણ મોટા મંદિરોએ પણ આ પ્રકારનો નિર્ણય લઈ પૂનમના રોજ મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.જેમાં ખેડબ્રહ્મા ખાતેના અંબિકા મંદિરને પણ 8 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.ખેડબ્રહ્માનુ મંદિર 23 જાન્યુઆરી બાદ ખોલવામાં આવશે.આ સીવાય ડાકોરના રણછોડરાયના મંદિર તથા શામળાજીનુ મંદિર પણ પોષી પૂનમ એટલે કે 17 જાન્યુઆરીએ બંધ રહેશે.પરંતુ ડાકોર અને શામળાજીનુ મંદિર 18 જાન્યુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army