દેશના ઘણા વિસ્તારમાં થઇ રહેલા કમોસમી વરસાદને કારણે આવનારા સમયમાં ડુંગળી સામાન્ય વ્યક્તિઓના ખીસ્સા પર અસર કરી શકે છે. માનવામાં આવે છે કે જો ડુંગળીના ભાવ વધ્યા તો દિવાળી સુધી ખુબ જ મોંઘી થઇ જશે.
દિવાળી સુધી વધી શકે છે કાંદાના ભાવ
ડુંગળીના ભાવ વધવાની શક્યતાઓ
ક્યા કારણે વધશે કાંદાના ભાવ ?
હાલમાં કાંદાના ભાવ 40-50 રૂપિયા છે. સોમવારે નાસિકમાં સ્થિત દેશની સૌથી મોટા ડુંગળી માર્કેટ લાસલગાંમમાં ડુંગળીનો ભાવ 6802 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો છે. મળતી માહિતી અનુસાર કાંદાનો ભાવ 100 રૂપિયા ઉપર જઇ શકે છે.
કેમ મોંઘા થઇ રહ્યાં છે કાંદા
દેશની સૌથી મોટી ડુંગળી માર્કેટ મહારાષ્ટ્રના લાસલગામમાં છે. જ્યાં ગયા સોમવારે સારામાં સારા કાંદાનો ભાવ 6802 રૂપિયા થઇ ગયો છે. એક સમાચાર અનુસાર છેલ્લા કેટલાક દિવસમાં મહારાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હોવાથી ડુંગળીના પાકને નુકસાન થઇ રહ્યું છે, જેના કારણે ભાવ વધવાની શક્યતા વધી જાય છે.
કાંદાના ભાવ ફેબ્રુઆરી સુધી વધશે
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં વરસાદને કારણે પાકને ઘણુ નુકસાન થવા પામ્યુ છે. માટે વ્યાપારીઓએ જમાખોરી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી 2021માં નવો પાક થશે ત્યાં સુધી કિંમત ઘટવાના કોઇ સંકેત દેખાતા નથી. હોટલ અને ઢાબા શરૂ થવા અ પણ કાંદાના ભાવ વધવાનું એક કારણ છે.
2000 રૂપિયા પ્રતિ ક્વિંટલ
નોંધનીય છે કે 14 ઓક્ટોબરે ડુંગળીના વ્યાપારીઓ પર ઇન્કમ ટેક્સની કાર્યવાહી થઇ હતી,. જે બાદ વ્યાપારીઓ માર્કેટ નથી આવી રહ્યાં. જેથી માર્કેટમાં વ્યાપાર બંધ થઇ ગયો પરંતુ જ્યારે માર્કેટ ખુલ્યુ ત્યારે ડુંગળીના ભાવ 2000 રૂપિયા પ્રતિ ક્વિંટલ થઇ ગયા હતા.