ઈરાકમાં રવિવારે સવારે મોટા આત્મઘાતી હુમલાના સમાચાર આવ્યા હતા. આ હુમલામાં ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા
ઈરાકના બગદાદમાં આત્મઘાતી હુમલો
વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવાયા
અલ-કાધિમી આ હુમલામાં બચી ગયા
ઇરકના વડાપ્રધાન પર હુમલો
ઈરાકમાં રવિવારે સવારે મોટા આત્મઘાતી હુમલાના સમાચાર આવ્યા હતા. આ હુમલામાં ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં પાંચ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જો કે, અલ-કાધિમી આ હુમલામાં બચી ગયા હતા. સ્થાનિક મીડિયાએ ઈરાકી સેનાને ટાંકીને જણાવ્યું હતું કે હુમલામાં માત્ર વડાપ્રધાન જ નિશાન હતા. તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
A drone laden with explosives targeted the residence of Iraqi PM Mustafa al-Kadhimi in Baghdad early on Sunday in what the Iraqi military called an attempted assassination, but said Kadhimi escaped unhurt: Reuters
ડ્રોન હુમલો
ઈરાકી સૈન્યએ જણાવ્યું હતું કે બગદાદમાં વડાપ્રધાન અલ-કાદિમીના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ડ્રોન વડે કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા ખતરનાક વિસ્ફોટકો ભરેલા હતા.
જો કે, આ ડ્રોન હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. હુમલાના સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે સાથે જ ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ અલ-કાધિમીએ પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તે ઠીક છે.
— Mustafa Al-Kadhimi مصطفى الكاظمي (@MAKadhimi) November 7, 2021
હું ઠીક છું...
હુમલા બાદ પ્રધાનમંત્રી અલ કદીમીનું નિવેદન આવ્યું હતું કે હું ઇરાક અને ઇરાકના લોકો માટે એક મહત્વનો માણસ હતો અને હજુ પણ છું. વિશ્વાસઘાતની મિસાઇલો મારામાં વિશ્વાસ મૂકનાર લોકોને નિરાશ કરશે નહીં, અને લોકોની સુરક્ષા જાળવવા માટે અમારા વીર સુરક્ષા દળોની અડગતા અને આગ્રહમાં એક વાળ પણ વાંકો કરી શકશે નહીં, ઈરાકી લોકોના અધિકાર પ્રાપ્ત થાય અને કાયદો સ્થાપિત થાય એ જ મારો પ્રયત્ન રહેશે.
હું ઠીક છું, મારા લોકોનો અને ભગવાનનો આભાર, અને હું શાંતી અને નિયંત્રણ માટે લોકોને હાકલ કરું છું.