મા લક્ષ્મીનું બીજું એક નામ ચંચલા પણ છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજના દિવસે એટલે કે શુક્રવારે સાંજે આ રીતે પૂજા કરો.
મા લક્ષ્મી એક જગ્યા પર ક્યારેય નથી ટકી રહેતા
આ ઉપાયની મદદથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
મા લક્ષ્મી ની પૂજા કરી એમને કમળનું ફૂલ પણ ચઢાવી શકો છો.
લોકો હંમેશા ઈચ્છે છે કે મા લક્ષ્મી તેમની પર હંમેશા કૃપા બનાવી રાખે. પણ આપણે બધા જાણીએ છીએ કે મા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ છે. તેઓ એક જગ્યા પર ક્યારેય નથી ટકી રહેતા. તમને જણાવી દઈએ કે એમનું બીજું એક નામ ચંચલા પણ છે અને એમનું વાહન ઘુવડ છે. એટલા માટે તેઓ એક જગ્યા પર ટકી રહેતા નથી. આજે અમીર છે એ કાલે ગરીબ થઈ જાય છે ને આજે ગરીબ છે એ કાલે અમીર પણ થઈ શકે છે. એવામાં તમારી પાસે આવેલ મા લક્ષ્મી ત્યાં જ રહી જાય અને બીજા પાસે ન જાય એ માટે તમારે થોડા ઉપાય કરવા પડે. એ ઉપાયની મદદથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
મા લક્ષ્મીને રોકવાના ઉપાય
તમને જણાવી દઈએ કે શુક્રવારનો દિવસ મા લક્ષ્મી માટે શુભ માનવામાં આવે છે. આજના દિવસે એમની પૂજા અર્ચના કરવાથી તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. જો મા લક્ષ્મી પ્રસન્ન થઈ ગયા તો ક્યારેય તમારી પાસે ધનની કમી નહીં થાય. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે જાપ કરી શકો છો.
108 વખત આ મંત્રનો જાપ કરો
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આજના દિવસે એટલે કે શુક્રવારે સાંજે પૂજા કરીને મા લક્ષ્મીના મંત્ર ॐ श्रीं क्लीं महालक्ष्मी महालक्ष्मी एह्येहि सर्व सौभाग्यं देहि मे स्वाहा મંત્રનો 108 વખત જાપ કરો. આ જાપ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે.
બીજી કેવી રીતે કરવા મા લક્ષ્મીને પ્રસન્ન
- મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કાળી કીડીને તમે ખાંડ ખવડાવી શકો છો. આવું કરવાથી એમની કૃપા બની રહેશે.
- આ સિવાય તમે મા લક્ષ્મી ની પૂજા કરી એમને કમળનું ફૂલ પણ ચઢાવી શકો છો.
- ખાસ એ વાત જાણી લો કે મા લક્ષ્મીને ઈતરની સુગંધ ઘણી પસંદ છે અને પૂજા કરતાં સમયે ઈતર જરૂર અર્પિત કરવું જોઈએ.
- મા લક્ષ્મીની પૂજા કરીને તમે એમને ખીર નો ભોગ પણ લગાવી શકો છો.