જુનાગઢ: વરસાદ બંધ થયાને આજે અનક દિવસો થયા છે. ખેત પેદાશ પાણીના વાંકે સુકાઈ રહી છે અને બીજી તરફ પુરતી વીજળી નથી મળી રહી. જેને લઈને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એનક તાલુકાઓમાં આવી જ પરેશાનીનો ખેડૂતો સામનો કરી રહ્યા છે
વંથલી તાલુકાનો પણ સમાવેશ થાય છે. વંથલીના અનેક ગામડાઓમાં પણ પુરતી વિજળી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પુરતી વીજળી ન મળતા પાક સુકાઈ રહ્યો છે. બીજી તરફ પીજીવીસીએલ કોઈપણ પ્રકારનું ધ્યાન નથી આપી રહ્યું .જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રની બેદરકારી અને સરકારી નીતિથી પરેશાન બાલોટ નવલખી બરવાળા અને રવની ગામના ખેડૂતો આજ રોજ પીજીવીસીએલ ઓફિસ ખાતે ભેગા થયા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. પરંતુ બહેરું તંત્ર કોઈને કોઈ બહાના કાઢી રહ્યું છે.
જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ પીજીવીસીએલની એફિસને તાળાબંધી કરી હતી. સાથ જ ખેડૂતોએ એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વીજળી કાપ પર નિયંત્રણ નહીં આવી તો તેનું ભુગતાન કરવા માટે પણ તૈયર રહેજો અને ગામી વીજળીનું બીલ લેવા આવનારની જવાબદારી ખેડૂતોની નથી.