પૃથ્વી પર જીવંત ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ એટલે હનુમાનજી. હનુમાનજી પરમ પરાક્રમી, મહાવીર, શિવના અગિયાર માં રુદ્ર અવતાર અને રામજીના પ્રિયભક્ત છે. જેથી હનુમાનજીની ભક્તિથી શિવ અને વિષ્ણુ બંનેની ભક્તિ નું ફળ મળે છે. હનુમાનજીની રામ ભક્તિ એટલી અનન્ય છે કે શ્રીરામ કરતા હનુમાનજીના મંદિર વધુ છે. તમને ગલી ગલીમાં હનુમાનજીના મંદિર મળશે. પૃથ્વી પર હાલ જીવંત કોઈ દેવ હોય તો એ છે હનુમાનજી. તેથી તેમની સાધના અને ભક્તિનું ચોક્કસ ફળ મળે જ છે. જ્યોતિષ વિશેષજ્ઞ હેમેન્દ્રભાઈ મિસ્ત્રી કહે છે કે આવતીકાલે હનુમાન જયંતિએ આ મંત્રનો જાપ કરો અને સાથે જ આ રીતે પાઠ કરવાથી શનિનો પ્રકોપ પણ ઘટશે.
હનુમાન ચાલીસાનું છે વિશેષ મહત્વ
હનુમાનની ભક્તિનું છે ખાસ મહત્વ
હનુમાનજીની સાધનાથી મળે છે અપાર સુખ
હનુમાન જયંતિ, શનિવાર અને મંગળવારે હનુમાનજીની સાધના અને સ્તુતિનું વિશેષ ફળ મળે છે. એકાગ્રતાપૂર્વક શુદ્ધ અવસ્થામાં, ગુગલ કે લોબાનનો ધૂપ કરીને, ચૂરમાના લાડુનો ભોગ ધરાવીને કરેલી સાધના કે ભક્તિનું વિશેષ ફળ મળે છે. યાદ રાખો સંકટ આવ્યા પહેલા કરેલી સાધના કે ભક્તિથી સંકટ રોકી શકાય. સંકટ આવ્યા બાદ કરેલી સ્તુતિ કે સાધના ફળદાયી નથી.
1. "હનુમાન ચાલીસા "નો નિયમિત એકાગ્રતા પૂર્વક પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધારી શકાય અને કુવિચાર, કુસંગતથી મુક્તિ મેળવી શકાય.
2. નિયમિત "બજરંગબાણ" નો પાઠ ગુગલ કે લોબાનનો ધૂપ કરીને કરવાથી નેગેટિવ ઉર્જા કે અદ્રશય બાધાથી મુક્તિ મેળવી શકાય છે.
3. "સંકટ મોચન હનુમાન અષ્ટક "નો પાઠ નિયમિત કરીને ભવિષ્યમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવી શકાય છે.
4. શનિવારે હનુમાનજીના પગ પર તેલ, સિંદૂર, અડદ મિક્સ કરીને ચઢાવીને હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી શનિ ગ્રહના પ્રકોપથી બચી શકાય છે.
5. "નાસે રોગ હરે સબ પીર ,જપત નિરન્તર હનુમંત બલબીરા" મંત્ર 108 નિયમિત કરવાથી કોરોના વાઇરસ કે અન્ય રોગથી મુક્તિ મેળવી શકાય .
6. "ૐ હું હું મહાબલાય હું હું ૐ ફટ " આ મંત્ર નો નિયમિત 15 મિનિટ જાપ કરીને ગમે તેવા ભય માંથી મુક્તિ મેળવી શકાય છે .