કહ્યું મેં 100 વર્ષ જુના હિંદુ મંદિરો તોડાવ્યાં હતા
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે DMKના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ટીઆર બાલુનો એક વીડિયો શેર કર્યો છે જેમાં ટી.આર.બાલુને એમ કહેતા સાંભળવામાં આવે છે કે તેમણે 100 વર્ષ જૂના ત્રણ મંદિરો તોડી પાડ્યા છે. એટલું જ નહીં જે ત્રણ મંદિર તોડી પાડવામાં આવ્યા છે તેના નામ અને સ્થળો પણ જણાવી રહ્યા છે. આ નિવેદન બદલ ભાજપે કોંગ્રેસની ઝાટકણી પણ કાઢી છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, કેવી રીતે તમિલનાડુમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાથી પક્ષો હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે.
Rahul n Cong Partners in TN wth Hindu hating @arivalayam DMK and in Maharashtra wth @OfficeofUT
All these contradictions - only common thread "dynasts"
અમારા નેતા પર હુમલો થશે તો જાનથી મારી નાખીશું-ડીએમકે નેતા
ડીએમકેના સાંસદ ટી આર બાલુએ તાજેતરમાં જ ધમકી આપી હતી કે જો તેઓ તેમના નેતા પર હુમલો કરવાની હિંમત કરશે તો તેઓ જાનથી મારી નાખશે અને તેમનો હાથ કાપી નાખશે. સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનની આકરી નિંદા કરવામાં આવી હતી. તેમના ભાષણની વધુ એક ક્લિપ વાયરલ થઇ રહી છે. આ વખતે તેમણે પોતાના મતવિસ્તારમાં સદીઓ જૂનાં મંદિરો તોડી પાડવાની વાત કરી હતી. વિડિયો ક્લીપમાં તેઓ કહી રહ્યાં છે કે મેં 100 વર્ષ જૂનાં ત્રણ મંદિરો તોડી પાડ્યાં હતાં. અહીં સરસ્વતી મંદિર, લક્ષ્મી મંદિર અને પાર્વતી મંદિર હતું. આ ત્રણ મંદિરો મારા મતવિસ્તારમાં હતાં. હું જાણતો હતો કે મને મત નહીં મળે. પરંતુ મને એ પણ ખબર હતી કે મત કેવી રીતે મેળવવા.
Annamalai wants to portray DMK as a party against people and against Hindutva particularly. But, DMK itself was started for welfare of Hindus & backward classes in Hindu.We fought for their education, we worked for them all along: TKS Elangovan, DMK leader on TR Baalu’s statement pic.twitter.com/PgJzAyLa0w
ભાજપે કોંગ્રેસ-ડીએમકે પર સાધ્યું નિશાન
ભાજપના તામિલનાડુના વડા અન્નામલાઈએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. ડીએમકેના લોકો 100 વર્ષ જૂના હિન્દુ મંદિરોને તોડી પાડવામાં ગર્વ અનુભવે છે. જો કે, તેમના ભાષણના વિસ્તૃત વીડિયોમાં સાંસદ એ વિશે વાત કરતા જોવા મળે છે કે કેવી રીતે તેમણે ધાર્મિક સ્થળોને તોડી પાડવા પડ્યા હતા અને વિકાસલક્ષી પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે તેમને ફરીથી બનાવવું પડ્યું હતું. ટી આર બાલુ, જે સેતુસમુદ્રમ પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓએ તેમની ચારે બાજુ રસ્તાઓ બનાવવા માટે મસ્જિદો અને મંદિરોને તોડી પાડવા પડ્યા હતા.