દિવ્યાંકા ત્રીપાઠીને દયાબેનનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ એક્ટ્રેસે આ કારણે તેને રિજેક્ટ કરી દીધો હતો.
દિવ્યાંકાને ઓફર થયો હતો દયાબેનનો રોલ
એક્ટ્રેસે આ કારણે રિજેક્ટ કર્યો રોલ
2017માં દિશા વાકાણી ગઈ હતી મેટરનિટી લીવ પર
કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 2008થી ઓનએર થઈ રહી છે. આટલા વર્ષો દરમિયાન આ ટીવી સિરિયલે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આ સિરિયલમાં ઘણા સ્ટાર્સ જોડાયા જ્યારે ઘણા કલાકારોએ આ સિરિયલને અલવિદા કહ્યું હતું.
2017માં મેટરનિટી લીવ પર ગઈ છે દિશા વાકાણી
આવું જ એક પાત્ર છે 'દયાબેન' જે અભિનેત્રી દિશા વાકાણીએ ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે દિશા દ્વારા ભજવવામાં આવેલ દયાબેનનું પાત્ર દર્શકોમાં ખૂબ જ ફેમસ છે. પરંતુ વર્ષ 2017માં અભિનેત્રીએ સીરિયલમાંથી મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ તે આજ સુધી સીરિયલમાં પાછી આવી નથી.
દિવ્યાંકાને ઓફર થયો હતો દયાનો રોલ
ખબર અનુસાર સીરિયલના મેકર્સ દ્વારા ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો કે દિશા કમબેક કરે. પરંતુ સફળતા મળી ન હતી. એવા અહેવાલો પણ આવ્યા હતા કે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને દયાબેનની ભૂમિકા માટે સીરિયલના નિર્માતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
આ કારણે દિવ્યાંકાએ રિજેક્ટ કરો રોલ
જો કે, પછીથી જાણવા મળ્યું કે દિવ્યાંકાએ પણ દયા બેનનો રોલ કરવાનો ઇનકાર કર્યો હતો. હકીકતે દિવ્યાંકા ઈચ્છતી ન હતી કે તે એક કલાકાર દ્વારા પહેલેથી જ સ્થાપિત કરેલું પાત્ર ભજવે, સાથે જ અભિનેત્રીનો સંપૂર્ણ ભાર એવું પાત્ર ભજવવા પર હતો જે ફ્રેશ હોય.
મેકર્સ ઈચ્છે છે આ વાત
જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીરિયલના મેકર્સનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કમબેક કરે. પરંતુ જો તે નહીં આવે તો સીરિયલ નવી દયા બેન સાથે આગળ વધશે.