બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Malay
Last Updated: 11:58 AM, 24 August 2023
Rajkot News: રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે કવિતા કાંડ સામે આવ્યો છે. ભાજપના કાર્યકરો અને આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કવિતા ફરતી થઈ છે. જે કવિતામાં મુખર્જી અને દીનદયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કવિતાથી શહેરનું રાજકારણ ગરમાયું છે.
સગાવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો કવિતામાં ઉલ્લેખ
રાજકોટ શહેર ભાજપમાં અસંતોષનો બળાપો કવિતારૂપે પ્રગટ થયો છે. કવિતામાં જી હજુરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ થયા બાદ જે શિક્ષણ સમિતિમાંથી બધાના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા, તે શિક્ષણ સમિતિના સભ્યનો પણ વાયરલ કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિતામાં કહેવામાં આવ્યું છે કે, સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા. સાથે જ મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ વ્યક્ત કવિતારૂપે કરવામાં આવી છે.
મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છેઃ મુકેશ દોશી
આ કવિતા મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છે, કદાચ કોઈ કાર્યકરની ક્યાંકને ક્યાંક લાગણી દુભાઈ હશે. ભારતીય જનતા પાર્ટીનું ફલક બહુ મોટા પ્રમાણમાં છે, આખા દેશમાં પ્રસરાયેલી આ ભારતીય જનતા પાર્ટી છે, હજારો-લાખો કાર્યકર્તા છે. આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાય એ સ્વાભાવિક છે. પરંતુ સાચા કાર્યકર-સારા કાર્યકરની લાગણીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ નોંધ લેતી હોય છે.
'કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે'
મુકેશ દોશીએ કહ્યું કે, છતાં કોઈ કાર્યકરની લાગણી દુભાણી હશે તો આવનારા દિવસોમાં નોંધ લેવામાં આવશે. તમામ કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરાશે. આટલી મોટી પાર્ટીમાં આ કવિતા કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી.
કવિની કવિતાથી શહેરના રાજકારણમાં ગરમાવો
કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.
કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો
જ્યારે મહાદેવને પગે લાગતા..
આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.
જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..
જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..
જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય કે.........(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય..
જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..
સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army