ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ કરેલ નિર્ણયો અને બદલી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ચાર્જ સંભાળતા જ રદ્દ કરી દેતાં અનેક સવાલો ઊભા થયા
અમદાવાદમાં બે પોલીસ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મતભેદ
ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરે કરેલી બદલી પોલીસ કમિશનરે રદ કરી
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અજય ચૌધરીએ કરેલી બદલી રદ કરી
રક્ષાબંધને અજય ચૌધરીએ માનવતાવાદી નિર્ણય લીધો હતો
અમદાવાદમાં બે ઉચ્ચ અધિકારી વચ્ચે ખટરાગની ચર્ચા તેજ
અમદાવાદ પોલીસ કમિશ્નરનો એક નિર્ણય અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તાજેતરમાં થોડા દિવસ માટે વિદેશ પ્રવાસ પર ગયા હતા. આ દરમ્યાન પોલીસ કમિશ્નરનો ચાર્જ અજય ચૌધરીને સોંપવામાં આવ્યો હતો. જોકે આ દરમ્યાન ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ કરેલ નિર્ણયો અને બદલી પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ચાર્જ સંભાળતા જ રદ્દ કરી દેતાં અનેક સવાલો ઊભા થયા છે.
પોલીસ કમિશ્નરનો નિર્ણય બન્યો ટોક ઓફ ધ ટાઉન
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તાજેતરમાં થોડા દિવસ માટે વિદેશ પ્રવાસ પર ગયા હતા. જોકે નિયમ મુજબ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ અજય ચૌધરીને સોંપવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યા બાદ અજય ચૌધરીએ રક્ષાબંધને ગર્ભવતી મહિલા પોલીસને ઇચ્છાસ્થળે પોસ્ટિંગ આપ્યું હતું હતું. આ દરમ્યાન વિદેશથી પરત આવ્યા બાદ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા જ સંજય શ્રીવાસ્તવે અજય ચૌધરીના નિર્ણયને રદ્દ કરતાં આ મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
અજય ચૌધરીનો કયો નિર્ણય રદ્દ કર્યો ?
અમદાવાદ પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યા બાદ અજય ચૌધરીએ રક્ષાબંધને એક ગર્ભવતી મહિલા પોલીસની ફાઇલ માંજરું કરી હતી. જેમાં મહિલા પોલીસ કર્મચારી ગર્ભવતી હોય તેમને ઇચ્છાસ્થળે પોસ્ટિંગ આપ્યું હતું હતું. જેથી અજય ચૌધરીએ ઘણા સમયથી પડતર ફાઇલ ક્લિયર કરી હતી. જોકે આ દરમ્યાન વિદેશથી પરત આવ્યા બાદ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા જ સંજય શ્રીવાસ્તવે અજય ચૌધરીના નિર્ણયને રદ્દ કરી દીધો છે.
અમદાવાદમાં બે ઉચ્ચ અધિકારી વચ્ચે ખટરાગની ચર્ચા તેજ
અમદાવાદમાં હાલતો બે ઉચ્ચ અધિકારી વચ્ચે ખટરાગની ચર્ચા તેજ બની છે. ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરે કરેલી બદલી પોલીસ કમિશ્નરે રદ કરી દેતા અનેક સવાલો ઊભા થયા છે. વિગતો મુજબ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ચૌધરીએ કરેલી બદલી રદ કરી છે. જોકે રક્ષાબંધને અજય ચૌધરીએ માનવતાવાદી નિર્ણય લીધો હતો, આમ છતાં કોઈ કારણસર કમિશ્નર સંજય શ્રીવાસ્તવે બદલી રદ્દ કરી દેતાં બે ઉચ્ચ અધિકારી વચ્ચે ખટરાગની ચર્ચા તેજ બની છે.