ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે અને હવે બે સીરીઝ બાદ તેમને ટી-20 ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. કાર્તિક ડર્બીશર અને નૉર્થેમ્પટનશર સામેની બે વોર્મઅપ મેચમાં ટીમની કેપ્ટનશિપ કરશે.
ભારતીય વિકેટકીપરે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી
હવે બે સીરીઝ બાદ તેમને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
ડર્બીશર અને નૉર્થેમ્પટનશર સામેની બે વોર્મઅપ મેચમાં કેપ્ટનશિપ કરશે
દિનેશ કાર્તિકે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી
વિકેટકીપર દિનેશ કાર્તિકે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે. વાપસી બાદ તે સરેરાશ બે સીરીઝ રમશે. પરંતુ હવે તે ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે. ડર્બીશર અને નૉર્થમપ્ટનની સામેની બે વૉર્મઅપ મેચમાં દિનેશ કાર્તિકને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડર્બીશર સામે ભારતીય ટીમ શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે પહેલી અભ્યાસ મેચ રમશે. મહત્વનું છે કે હાર્દિક પંડ્યાએ આયરલેન્ડની સામે શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી હતી. જ્યાં ભારતને 2-0થી જીત મળી. હવે ઈંગ્લેન્ડ સામેની ટી-20 સીરીઝ પહેલા ભારતીય ટીમે 2 અભ્યાસ મેચ રમવાની છે અને તેમાં દિનેશ કાર્તિક ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળવાના છે. મીડિયા રિપોર્ટસ મુજબ હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવશે.
2022માં લાગી કેપ્ટનોની લાઈન
વર્ષ 2022માં ભારતીય ટીમને સતત નવા કેપ્ટન મળ્યાં છે. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન બન્યાં. કેએલ રાહુલે સાઉથ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં ટીમનુ નેતૃત્વ કર્યુ. રિષભ પંતે સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમની કેપ્ટનશિપ સંભાળી. હાર્દિક પંડ્યા આયરલેન્ડની સામે ટી-20 શ્રેણીમાં કેપ્ટન બન્યા. બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી રહ્યાં છે અને દિનેશ કાર્તિક 2 અભ્યાસ મેચમાં ટીમની કેપ્ટનશિપ કરશે.
દિનેશ કાર્તિકે 3 વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી
મહત્વનું છે કે દિનેશ કાર્તિકે સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમમાં વાપસી કરી છે. આ અનુભવી વિકેટકીપર 2019 વર્લ્ડ કપના સેમી ફાઈનલમાં છેલ્લી વખત રમ્યો હતો અને ત્યારબાદ ત્રણ વર્ષ સુધી કાર્તિક ટીમમાંથી બહાર રહ્યો. પરંતુ આઈપીએલ 2022માં ધમાકેદાર પ્રદર્શન બાદ કાર્તિકને એક વખત ફરીથી ટીમમાં જગ્યા મળી. કાર્તિકે ફિનિશર તરીકે ધમાકેદાર પ્રદર્શન કર્યુ અને હવે ઓસ્ટ્રેલિયા સામેના ટી-20 વર્લ્ડ કપ માટે મુખ્ય ફિનિશર તરીકે જોવામાં આવે છે.