જીવલેણ કોરોના મહેન્દ્ર સિંહ ધોનીના ઘર સુધી પહોંચી ગયો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીના માતા-પિતાને કોરોના પોઝીટીવ આવ્યો છે.
ધોનીના માતા-પિતા સંક્રમિત
હોસ્પિટલમાં કરાયા દાખલ
સેલેબ્સ પર કોરોનાનો ખતરો
હોસ્પિટલમાં કરાયા દાખલ
સૂત્રોના જણાવ્યા અનુસાર ધોનીની માતા દેવિકા દેવી અને પિતા પાન સિંહને રાંચીના પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત હાલમાં સારી છે. ઓક્સિજન સ્તર પણ સામાન્ય છે અને સારી વાત તે છે કે સંક્રમણ તેમના ફેફસા સુધી નથી પહોંચ્યુ અને આ જાણકારી સીટી સ્કેન દ્વારા મળી છે.
ધોનીનો પરિવાર મૂળ ઉત્તરાખંડનો છે. તેના પિતા પાન સિંહને 1964માં રાંચીમાં નોકરી મળી અને તે અહીં જ સ્થાયી થઇ ગયા. ત્યારે આ હિસ્સો બિહારમાં આવતો હતો પરંતુ હવે તે ઝારખંડમાં આવે છે. મુશ્કેલીની આ ઘડીમાં ધોની તેના પરિવાર સાથે હાજર નથી કારણકે તે આઇપીએલમાં વ્યસ્ત છે, જે કોરોના વાયરસના કારણે બંધ સ્ટેડિયમમાં રમાવાઇ રહી છે.
સેલેબ્સમાં ફેલાયો કોવિડ
20 એપ્રિલ 2021ના રોજ બપોરે લગભગ 12.30 વાગ્યાની આસપાસ મરાઠી અને હિન્દી ફિલ્મના કલાકાર કિશોર નાંદલસકર ગુજરી ગયા હતા. છેલ્લા 2 અઠવાડીયાથી તેઓ ઠાણેના કાવિડ સેન્ટરમાં દાખલ હતા.
ગીતકાર કિરણ મિશ્રાનું અવસાન
કોરોનાના લીધે બોલિવૂડની જાણીતી હસ્તી એવા પ્રખ્યાત ગીતકાર કિરણ મિશ્રાનું આજે અવસાન થયું છે. 67 વર્ષીય કિરણ મિશ્રાએ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા. મહત્વનું છે કે પંડિત કિરણ મિશ્રાએ ઘણા ભક્તિ ગીતો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.
બોલીવુડ અભિનેત્રી સમિરા રેડ્ડી કોરોનાની ઝપેટમાં
બોલીવુડ અભિનેત્રી સમિરા રેડ્ડી તેની ફિટનેસ રીલ્સ અને વીડિયો શેર કરવાને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા મળી હતી, પરંતુ હવે એવું જાણવા મળી રહ્યું છે કે અભિનેત્રી કોરોનાને ચેપ લાગ્યો છે. સમિરા રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકોને કહ્યું કે તે કોવિડ -19 ની પરીક્ષામાં સકારાત્મક આવી છે.
નીલ નીતિન મુકેશ
નીલ નીતિન મુકેશે પોતાના અને સમગ્ર પરિવારના કોરોના સંક્રમિત થયાની જાણકારી પોતે સોશ્યલ મીડિયાની મદદથી આપી છે. તેઓએ એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે પરિવારના દરેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એવામાં નીલ નિતિન મુકેશનો પરિવાર દરેક પ્રકારના પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છે અને જરૂરી દવાઓ પણ લઈ રહ્યો છે.
સોનુ સૂદ
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વધી રહ્યું છે અને કેટલાક બોલીવૂડ સ્ટાર અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે બોલીવૂડ એક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખ મેળવનાર સોનુ સૂદ ખૂદ કોરોના સંક્રમિત થયાં છે. ઉલ્લેખનીય છે કે, સોનુએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી પોતાના ટ્વીટર પેજ પર પોતાના ફેન્સને આપી હતી.