રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં બીજી કંપનીઓની વાર્ષિક મીટિંગ કરતા અલગ હોય છે. AGMમાં કંપનીના શેર હોલ્ડર્સ કંપની મેનેજમેન્ટને રૂબરૂ મળે છે. આ મીટિંગમાં કેટલાક સવાલો પૂછવામાં આવે છે તો કેટલીક જૂની યાદો યાદ કરવામાં આવે છે. 5 જુલાઈ 2018ના રોજ યોજાયેલી AGMમાં એક શેરહોલ્ડરે કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી વિશે રસપ્રદ વાત જણાવી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના AGMમાં હાજર રહેલા એક શેરહોલ્ડરે જણાવ્યુ કે ''ધીરુભાઇ અંબાણી પોતાના દિવસની શરૂઆત ઇશાની ફોટો જોઇને કરતા હતા ધીરૂભાઇ ચા-નાસ્તો કરતાં પહેલા ઈશાની તસવીર જોતા હતા. ત્યારથી લઈને આજ સુધી ઈશાએ લાંબી મજલ કાપી છે અને પોતાના ભાઈઓ સાથે મળીને જિયો શરૂ કર્યું છે.''
ધીરુભાઇ અંબાણીનું નિધન 6 જૂલાઇ 2002ના થયું હતુ ત્યારે ઇશા અંબાણી 11 વર્ષની હતા. ઇશાનો જન્મ 23 ઓક્ટોબર 1991માં થયો હતો.
ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના બોર્ડની સભ્ય છે. બિઝનેસમાં યુવા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો શ્રેય ઈશાને જાય છે. ઇશાએ યૂલ યૂનિવર્સિટીથી સાઇકૉલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશ કર્યુ છે. જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસ સ્ટેનફોર્ડથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી પણ હાસલ કરી હતી.
ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થવાના છે. આનંદ પિરામલ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ અજય પિરામલના પુત્ર છે. આનંદ અને ઈશા લાંબા સમયથી મિત્રો છે. આનંદે મહાબળેશ્વરમાં ઈશાને પ્રપોઝ કર્યું હતું અને ત્યારે જ ઈશાએ લગ્ન માટે હા પાડી હતી. આનંદ પિરામલ રોયલ્ટીના સ્થાપક છે. આ પહેલા આનંદે ગ્રામીણ ક્ષેત્રમાં સ્વાસ્થ્યની જાળવણી માટે પિરામલ સ્વાસ્થ્યની સ્થાપના કરી હતી.