સુશાંત સિંહના આપઘાત બાદ બોલિવૂડનાં કેટલાક કલાકારો આઘાતથી બહાર આવી શકતા નથી. ચાહકોથી લઈને બોલિવૂડ જગત પણ બેસૂધ છે ત્યારે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને પણ આ ઘટના બાદ ઝટકો લાગ્યો છે. ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને સુશાંતને યાદ કર્યો છે.
સોશિયલ મીડિયા પર છલકાયું દિગ્ગજ અભિનેતાઓનું દર્દ
આ પ્યારી ખૂબસૂરત ફિલ્મી દુનિયા અત્યંત ક્રૂર : ધર્મેન્દ્ર
કેમ..કેમ...કેમ..સુશાંત આખરે કેમ ? : અમિતાભ બચ્ચન
ધર્મેન્દ્રની ભાવુક પોસ્ટ
ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પોતાનું દર્દ વર્ણવ્યું, તેમણે ટ્વિટ કરીને કહ્યું 'વ્હાલા સુશાંત, ના તો ફિલ્મ જોઈ ના હું ક્યારેય તમને મળ્યો...પણ તારા અચાનક જ જતા રહેવા પર ખૂબ દુઃખ થયું. આ પ્યારી ખૂબસૂરત ફિલ્મી દુનિયા અત્યંત ક્રૂર છે. હું તારો અસહનીય કષ્ટ અનુભવી શકું છું.'
Pyaare Sushant, naa film dekhi na kabhi mila tum se ....par tere achaanak chale jaane se bada sadma laga !!! This beautiful beloved “ show business “ is very cruel. I can imagine your unbearable pain . I share the pain of your loving family and friends. pic.twitter.com/WQWHuyi1PH
ધર્મેન્દ્ર પહેલા મહાનાયક અમિતાભ બચ્ચને પણ પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પોતાની પોસ્ટમાં સુશાંત સિંહ સાથે પોતાની મુલાકાતને યાદ કરી. અને લખ્યું 'કેમ..કેમ...કેમ..સુશાંત આખરે કેમ ? તમે જીવન કેમ ટૂંકાવી લીધું ? તમે પ્રતિભાશાળી અભિનેતા હતા. કંઈ કીધા વગર, કંઈ પણ માગ્યા વગર હંમેશા માટે સુઈ ગયા..કેમ ? તેમનું કામ ખૂબ જ સારું હતું અને મગજ તો તેનાથી પણ ઉમદા'
T 3563 - In memorial Sushant : DAY 4483 Jalsa, Mumbai June 14/15, 2020 Sun/Mon 12:48 AM Why .. Why .. Why .. (cont) https://t.co/uCOUjTIbyn
બચ્ચને આગળ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે દાર્શનિક વાર્તાઓના માધ્યમથી તેમણે ઘણીવાર પોતાના વિશે જણાવ્યું પણ કેટલાક લોકો તે વાતની ઊંડાઈ જણાઈને અચંબિત થઇ જતા તો કેટલાક તો તેનો અર્થ જ ન સમજી શકતા. જ્યારે કેટલાક લોકો તે વાતને ટાળી દેતા હતા.
બોલિવૂડ જગત આઘાતમાં
નોંધનીય છે કે રવિવારે સવારે સુશાંત સિંહ રાજપૂતે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સુશાંત સિંહના નિધન બાદ બોલિવૂડ જગતમાં ધ્રાસકો પડ્યો અને પરિવાર પર તો જાણે દુઃખોનો પહાડ જ તૂટી પડ્યો છે. સુશાંતની મોત પર મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને કેટલાક લોકોથી પૂછપરછ પણ કરવામાં આવી છે. મીડિયાના અહેવાલો બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ તે આદેશ પણ આપ્યા છે કે બોલિવૂડમાં દુશ્મનાવટ કે બોયકોટ જેવું કંઈ ચાલી રહ્યું હતું કે નહીં તેની તપાસ પણ કરવામાં આવે.