લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લવ જેહાદનો કાયદો લાવવા અંગે વિચારણા ચાલુ છે.
નાયબ મુખ્યમંત્રીનું લવ જેહાદ મામલે નિવેદન
"લવ જેહાદનો કાયદા અંગે વિચારણા ચાલુ"
" ધર્મ પરિવર્તન કરાવનાર સામે કાયદો લાવીશું"
વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદની જાહેરાત કર્યા બાદ નાયબ મુખ્યપ્રધાને પણ નિવેદન આપ્યું છે. લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લવ જેહાદનો કાયદો લાવવા અંગે વિચારણા ચાલુ છે. વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે કાયદો લાવીશું.
તો બીજી તરફ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. અમે કોંગ્રેસની જેમ કોણીએ લગાવવાનું કામ કરતા નથી. કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ કરી છે. કોંગ્રેસની સરકારમાં ગુંડાતત્વો બેફામ હતા. ભાજપ સરકારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી. ભાજપની સરકારમાં અનેક વિકાસના કામો કર્યા છે. UPA સરકાર હોત તો રામ મંદિર ન બન્યું હોત.
સોલા સિવિલનું નવિનીકરણ
ચૂંટણીની સભામાં સંબોધન કરતા સમયે કોરોનાકાળમાં સરકારની કામગીરી અંગે પણ વાત કરી હતી. નીતિન પટેલે કહ્યું કે, જ્યારે કોરોનાકાળનો ઈતિહાસ લખાશે. ત્યારે ગુજરાત સરકારની કામગીરીની નોંધ પણ લેવાશે. તો સોલા સિવિલ હોસ્પિટલમાં પણ અસારવા સિવિલ હોસ્પિટલ જેવી સુવિધા આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.