દિલ્હી હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, પરિવારના સભ્યો સહિત કોઈ ત્રીજો વ્યક્તિ પતિ-પત્ની તરીકે એક સાથે રહેતા બે વયસ્કના જીવનમાં દખલગીરી કરી શકે નહીં
દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
પતિ-પત્ની તરીકે સાથે રહેતા બે વયસ્ક લોકોના જીવનમાં ત્રીજાનું હસ્તક્ષેપ નહીં
કોર્ટે આ કપલને સુરક્ષા આપી, પોલીસને આપ્યા આ આદેશ
દિલ્હી હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, પરિવારના સભ્યો સહિત કોઈ ત્રીજો વ્યક્તિ પતિ-પત્ની તરીકે એક સાથે રહેતા બે વયસ્કના જીવનમાં દખલગીરી કરી શકે નહીં અને વિવાહીત કપલની રક્ષા કરવી રાજ્યનું સંવૈધાનિક દાયિત્વ છે. ન્યાયમૂર્તિ તુષાર રાવ ગેડેલાએ કહ્યું કે, એ નક્કી કરવું રાજ્ય અને તેની મશીનરીનું કર્તવ્ય છે કે દેશના નાગરિકોને કોઈ નુકસાન ન થાય અને સંવૈધાનિક કોર્ટને પણ આવા નાગરિકોની રક્ષા માટે આદેશ પસાર કરવાનો અધિકાર છે. જેને પોતાના જીવનને લઈને કોઈ પણ નુકસાનનો ડર સતાવી રહ્યો છે.
કોર્ટે આ ટિપ્પણી એક દંપત્તિની અરજી પર કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા બાદ ડરના કારણે અલગ અલગ હોટલમાં રહી રહ્યા છે અને જ્યાં સુધી તેમની રક્ષા નહીં થાય ત્યાં સુધી તેમને શાંતિ નહીં મળે. અરજીકર્તા મહિલાએ કોર્ટમાં તેના પિતા ઉત્તર પ્રદેશમાં રાજકીય રીતે સારુ પહોંચ ધરાવતા વ્યક્તિ છે અને રાજ્યની મશીનરીને પ્રભાવિત કરવામાં સક્ષમ છે. મહિલાએ પોતાની અરજીમાં કોર્ટને જણાવ્યું છે કે, તેણે પોતાનું ઘર છોડી દીધું છે કારણ કે, તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો તેના સંબંધને લઈને તેને પ્રતાડિત અને હેરાન પરેશાન કરતા રહે છે.
દિલ્હી પોલીસને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ
ન્યાયમૂર્તિ ગેડેલાએ દિલ્હી પોલીસના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે જો કોઈ પણ અરજીકર્તા જે વયસ્ક છે, અને તેમને કોઈ ધમકી મળવાની ફરિયાદ આવે છે તો કોઈ પણ સંભવિત ખતરાને જોતા ઈમરજન્સી કોલ કરે છે, તો તેને અટેંડ કરો. કોર્ટે કહ્યું કે, અમારો વિચાર છે કે, રાજ્ય પોતાના નાગરિકોની રક્ષા માટે એક સંવૈધાનિક દાયિત્વ અંતર્ગત બંધાયેલ છે. ખાસ કરીને આવા કેસમાં જ્યાં લગ્ન કરેલા બે વયસ્ક પોતાની વચ્ચે રજામંદીથી હોય છે. પછી ભલે તે કોઈ પણ સમુદાય કે જાતિમાંથી આવતા હોય.
દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું
કોર્ટે હાલમાં જ પોતાના એક આદેશમાં કહ્યું કે, આપણા ફ્રેમવર્ક અંતર્ગત સંવૈધાનિક કોર્ટને નાગરિકોની રક્ષા માટે આદેશ પાસ કરવાનો અધિકાર છે. ખાસ કરીને એવા કિસ્સામાં જે વર્તમાન વિવાદ સંબંધિત છે. એક વાર બે વયસ્ક પતિ અને પત્ની તરીકે સાથે રહેવા સહમત થઈ જાય છે, તો તેવા કિસ્સામાં કોઈ ત્રીજો શખ્સ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આપણુ સંવિધાન પણ તેને સુનિશ્ચિત કરે છે.
આ ફક્ત રાજ્યનું કર્તવ્ય નથી, પણ તેની મશીનરી અને એજન્સીઓનું પણ છે. જે એ નક્કી કરે છે કે, કાયદો અને વ્યવસ્થા લાગૂ કરે છે કે, આ દેશના નાગરિકોને કોઈ નુકસાન ન થાય. કોર્ટે એવું પણ કહ્યું કે, બીટ પોલીસ અધિકારીઓ આગામી 3 અઠવાડીયા સુધી બે દિવસમાં એક વાર અરજીકર્તા દંપત્તિના ઘરે જઈને નિરીક્ષણ કરશે, કે તેઓ સુરક્ષિત છે કે નહીં.