લોકસભા અને રાજ્યસભામાંથી દિલ્હીની સરકારની સત્તા ઓછું કરતું બિલ પસાર થાય બાદ કેજરીવાલ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે.
NCT બિલ મુદ્દે કેજરીવાલનો વિરોધ
કેન્દ્ર સામે સુપ્રીમ કોર્ટમાં જશે કેજરીવાલ
લીગલ ટીમ પાસે લેશે સલાહ
NCT બિલ મુદ્દે કેજરીવાલ અને કેંદ્ર સરકાર સામ સામે
લોકસભા અને રાજ્યસભામાં GNCT બિલ પાસ થઈ ગયું છે ત્યારે હવે આ બિલને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકાર આ બિલ સામે દેશની સૌથી મોટી અદાલતમાં અરજી દાખલ કરી શકે છે. આ કામ કરવા માટે લીગલ ટીમ સાથે સલાહ લેવામાં આવી રહી છે. દિલ્હી સરકારનું માનવું છે કે આ સંશોધનથી સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલી શકાય છે.
કેજરીવાલ સરકાર NCT બિલ મુદ્દે જશે સુપ્રીમકોર્ટમાં
દિલ્હી સરકારની લીગલ ટીમ આ બિલનું અધ્યયન કરશે અને તે બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ રકવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકારે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે.
લોકસભા-રાજ્યસભામાં GNCT બિલ પાસ થઇ ચુક્યુ છે
નોંધનીય છે કે ગઇકાલે જ રાજસયભાંમાંથી આ બિલને પસાર કરવામાં આવ્યો છે. આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બની જશે. આ બિલના પસાર થયા બાદથી કેજરીવાલ દિલ્હીમાં માત્ર નામના સીએમ બનીને રહી ગયા છે. દિલ્હીની સત્તાનું કેન્દ્ર હવે રાજ્યપાલ રહેશે. રાજ્યસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે વિપક્ષી પાર્ટીઓ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કે જૉ દિલ્હીના બધા જ અધિકાર એક એલજીને જ આપી દેવાના હોય તો સરકારની જરૂરત જ શું છે? મુખ્યમંત્રીની ચૂંટણીની પણ શું રજરું છે? ભાજપની સરકાર એલજીના માધ્યમથી સરકાર ચલાવવા માંગે છે.
એલજીના અધિકારોમાં વધારો
દિલ્હીમાં સત્તામાં પાવર માટે મુખ્યમંત્રી અને એલજી વચ્ચે વારંવાર સંઘર્ષ જોવા મળે છે એવામાં મોદી સરકારે એવું બિલ પાસ કરાવી લીધું છે જેની મદદથી એલજીના અધિયકર ક્ષેત્રને મોટું કરવામાં આવ્યું છે. આ બિલમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી કોઈ પણ નિર્ણય લાગુ કરતાં પહેલા દિલ્હીની સરકારે લેફ્ટનન્ટ ગવર્નરની સલાહ લેવાની રહેશે.
એક CM જેટલા અધિકારો રાજ્યપાલને મળી ગયા
આ બિલમાં રાજ્યપાલને કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી જેવા અધિયકાર આપી દેવામાં આવ્યા છે. દિલ્હી સરકારે બધા જ નિર્ણય, પ્રસ્તાવ અને એજન્ડા વિશે એલજીને પહેલેથી જાણકારી આપવાની રહેશે. જૉ મુખ્યમંત્રી અને એલજી વચ્ચે કોઈ મુદ્દા પર મતભેદ થાય તે મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. આટલું જ નહીં એલજી કોઈ પણ બિલને મંજૂરી ન આપીને તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે અને તે બાદ જ તે રાજ્યમાં લાગુ થશે.
દિલ્હી સરકારનું કદ ઘટાડવામાં આવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યું છે તેમાં દિલ્હીમાં ચૂંટાયેલી સરકારના અધિયકારોને સીમિત કરી દેવામાં આવ્યા છે. દિલ્હીની વિધાનસભા હવે એવઆ કોઈ જ નિયમ નહીં બનાવી શકે જે દૈનિક પ્રશાસનની ગતિવિધિઓ પર લાગુ થતી હોય. આ બિલ બાદ અધિકારીઓને પણ કામ કરવાની આઝાદી મળશે કારણ કે તેમનામાં સમિતિઓ દ્વારા બોલાવવાનો ડર સમાપ્ત થઈ જશે.
આ લોકશાહી માટે દુ:ખદ દિવસ : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ટ્વિટ કરીને કહ્યું કે, રાજ્યસભાએ જીએનસીટીડી સુધારણા બિલ પસાર કરી દીધું છે. લોકશાહી માટે દુ:ખદ દિવસ છે. લોકોની શક્તિ પુન:સ્થાપિત કરવા માટે અમે આપણો સંઘર્ષ ચાલુ રાખીશું. ભલે ગમે તે અવરોધો આવે, અમે આપણું સારું કામ ચાલુ રાખીશું. કામ ન તો અટકશે અને ન તો ધીમું પડશે.