દિલ્હી વિધાનસભામાં સીએમ અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર બરાબરના પ્રહારો કર્યા હતા, તેમણે MCDની ચૂંટણી ટાળવા બદલ ભરી સભામાં સંભળાવી દીધું હતું.
દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
દિલ્હી એમસીડી ચૂંટણી ટાળવાના કારણે કેજરીવાલ બગડ્યા
કેજરીવાલે કામ કરી બતાવ્યું હોવાનો કર્યો દાવો
દિલ્હી વિધાનસભામાં સીએમ અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર બરાબરના પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ, આમ આદમી પાર્ટી સામે હવે ચૂંટણી લડતા પણ ડરી રહી છે. પાર્ટી હારના ડરના કારણે દિલ્હી એમસીડી ચૂંટણી ટાળી દીધી. અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, મને લાગેે છે કે, દેશ માટે આ એક કાળો દિવસ છે, આ દેશને જ નહીં પણ સમગ્ર દુનિયાને મહોલ્લા ક્લિનિકની અવધારણા આપનારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ થઈ. તેમને જેલમાં નાખવામાં આવ્યા. પણ લોકો હજૂ પણ તેમના પર વિશ્વાસ કરે છે. લોકો કહે છે કે, તે ઈમાનદાર છે, સીએમે કહ્યું કે, વિપક્ષ એવું કહે છે કે, દિલ્હીના શિક્ષકો ભણાવતા નથી. આ એજ ટીચર છે, અમે એમને બદલ્યા નથી, તેમણે ક્રાંતિ કરીને દેખાડી છે. ફરી એક વાર જો એમસીડી અમારા હાથમાં આવી જાય તો, આ જ સફાઈ કર્મચારીઓ સમગ્ર દુનિયામાં દિલ્હીનું નામ રોશન કરીને દેખાડશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે વિધાનસભામાં સંબોધન દરમિયાન ભાજપ પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે વિધાનસભામાં દીવાર ફિલ્મનો ડાયલોગ લલકારતા કહ્યું કે, ભાજપની પાસે ED છે, ઈન્કમ ટેક્સ છે, CBI છે, પણ દિલ્હીની જનતા કહે છે કે, તેમની પાસે તેમનો દિકરો કેજરીવાલ છે.
आम आदमी पार्टी के सामने अब चुनाव लड़ने से भी डर रही बीजेपी। हार के डर से दिल्ली में MCD चुनाव टाल रही भाजपा। दिल्ली विधानसभा के सदन में मेरा संबोधन | LIVE https://t.co/qDL6N1TXls
ભાજપે ખુલ્લેઆમ લફંગાબાજી અને ગુંડાગીરી મચાવી રાખી છે- કેજરીવાલ
સીએમ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે, 75 વર્ષ આઝાદીને થઈ ગયા, પણ કોઈનુંય વિજળીનું બિલ ઝીરો નથી આવ્યું, પણ આપની સરકારમાં 24 કલાકની અંદર વિજળી વાપરવા છતાં ઝીરો બિલ આવી રહ્યું છે. દિલ્હીમાં ચારે તરફ કચરાનો ઢગલો જોઈને દુ:ખ થાય છે, કે અમે દિલ્હીને સાફ નથી કરી શકતા. ઘણુ મન થાય છે કે, જો અમારી પાસે એમસીડી હોત તો અમે દિલ્હી સાફ કરી દેત. 15 વર્ષથી એમસીડી તેમની પાસે હતી, પણ તેમને કંઈ કર્યુ નહીં, હવે આ લોકો ચૂંટણી પણ નથી કરાવતા. તેમણે ખુલ્લેઆમ ગુંડાગીરી અને લફંગાબાજી મચાવી રાખી છે કે અમે પણ કામ નહીં કરીએ અને તમને પણ નહીં કરવા દઈએ. દિલ્હીવાળાઓ પાસેથી બદલો લઈ રહ્યા છે.
કેજરીવાલે ભાજપને ચોર અને ડાકૂ ગણાવ્યા
સીએમ કેજરીવાલે કહ્યું કે, ભાજપવાળા કહે છે કે, દિલ્હીના સફાઈ કર્મચારીઓ કામચોર છે. સફાઈ કર્મચારી કામચોર નથી, તમે (ભાજપ) ચોર છે, ડાકૂ છે. કેજરીવાલે આગળ કહ્યું કે, પહેલા આ વિપક્ષના લોકો ગંદી ભદ્દી ગાળો સરકારી શિક્ષકો અને ડોક્ટર્સને આપતા હતા. કહેતા હતા કે, દિલ્હીના શિક્ષકોને ભણાવતા નથી આવડતું. આજે પણ આ જ 60 હજાર શિક્ષકો છે. અમે નથી બદલ્યા, પણ આજે એજ શિક્ષકોએ ક્રાંતિ કરી દેખાડી છે. ફરી એક વાર એમસીડી અમારા હાથામં આવી જાય, તો સફાઈ કર્મચારી દિલ્હીનું નામ રોશન કરી દેખાડશે.