સુરતના ઓલપાડ દરિયાઈ વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે દરિયાઈ વિસ્તાર ના માર્ગો પર વિઝિબિલિટી પણ ઝીરો થઈ છે. દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે ત્યારે ઓલપાડ દરિયાઈ વિસ્તાર ના ગામડાઓ માં NDRF અને SDRF ની ટીમ નિરીક્ષણ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઓલપાડ ના કાંઠાવિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શરૂઆત થતા લોકોમાં ઘભરાટ નો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે સંભવિત વાયુ વાવાઝોડા ને લઈ ઓલપાડ ના કાંઠાવિસ્તારો ના ૧૪ ગામો ને એલર્ટ કરી દેવાયા છે. ત્યારે સુરત ના સંસદ દર્શના જરદોશે અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે એલર્ટ કરાયેલા ગામોની મુલાકત લીધી હતી.
ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો અને નાયબ કલેક્ટર સહિત ના અધિકારીઓ એલર્ટ વાળા ગામની મુલાકાત લઈ લોકો ને સુરક્ષિત જગ્યા ઉપર રહેવા માટેની અપીલ કરવા માં આવી છે સાથે જ આપાતકાલીન સમયમાં સાવચેતી અંગે સૂચનાઓ પણ આપી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2019
આપને જણાવી દઇએ કે, વાયુ વાવાઝોડાની દહેશતને લઈને રાજ્યના તમામ દરિયાકાંઠાના જિલ્લામાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. આ પહેલા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતુ. જેને ઉતારીને 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.