6ઠ્ઠી નવેમ્બર એટલે કે, આવતી કાલે ચક્રવાત 'મહા' હાલની પોતાની પોઝીશનમાંથી બેક મારશે. તે ગુજરાતના દરિયા કાંઠે અથડાવવાની પૂરેપુરી શક્યતા છે ત્યારે 'મહા' સંકટને પહોંચી વળવા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. દ્વારકા, મોરબી, ગીરસોમનાથ, જામનગર, પોરબંદર, દીવ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરીને દરિયાકિનારાના ગામોના લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવા માટેની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે.
મોરબીમાં 23 ગામોમાં અલર્ટ
ગીર-સોમનાથમાં 52 ગામોમાં અલર્ટ
જામનગરમાં 25 ગામો અલર્ટ પર
કરાશે 17000 લોકોનું સ્થળાંતર
દ્વારકામાં તંત્ર દ્વારા 3 તાલુકાના ગામોની યાદી તૈયાર કરાઈ છે. જરૂર પડે ત્યારે સ્થળાંતર કરનાર લોકોની યાદી તૈયાર કરી. ખંભાળિયાના 16, ગામ,કલ્યાણપુર 7 ગામ,દ્વારકા 6 ગામો અલર્ટ પર છે. કુલ 17000 લોકોની સ્થળાંતર અંગેની યાદી તૈયાર કરાઇ છે.
જૂનાગઢમાં 26 ગામોને અપાયું અલર્ટ
જૂનાગઢ તંત્ર મહા વાવાઝોડાને લઇ અલર્ટ અપાયુ છે. જૂનાગઢ તંત્ર દ્વારા 26 ગામોને અલર્ટ અપાયું છે. 2480 લોકોનું કરાશે સ્થળાંતર છે. જિલ્લામાં 28 સાયકલોન સેન્ટરનો ઉપયોગ કરાશે. ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઈ જવાશે. સ્થળાંત્તર કરાયેલા લોકો માટે આશ્રયસ્થાનો ઉભા કરાયા છે. ફૂડપેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પેટ્રોલ પંપના માલિકોને જથ્થો રાખવા સૂચના અપાઈ. બે હજાર લિટર સુધી પેટ્રોલ-ડીઝલ રાખવા સૂચના અપાઈ છે. જોખમી હોર્ડિગ્સ ઉતારી લેવા અપાઇ સૂચના અપાઈ છે.
મોરબીમાં 23 ગામોમાં અલર્ટ
'મહા' વાવાઝોડાને લઇ મોરબી તંત્ર એલર્ટ છે. 23 ગામોના 4760 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.. દરિયાઇ વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે.
ગીર-સોમનાથમાં 52 ગામોમાં અલર્ટ
ગીર સોમનાથમાં મહા વાવાઝોડાને લઈન તંત્ર એલર્ટ છે.ત્યારે વાવઝોડાને લઈને 52 ગામોને સ્થળાતંર કરાય તેવી શકયતા છે. અને પ્રવાસીઓને ગીરમાં ન આવવા સલાહ આપી છે.ગીર સોમનાથના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે..
જામનગરમાં 25 ગામો અલર્ટ પર
મહા વાવાઝોડાને લઈને જામનગરમાં તંત્ર એલર્ટ થયુ છે. મહા વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા 25 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સૂચના આપ્યા બાદ માછીમારી કરવા માટે ગયેલી 208 બોટ પરત ફરી છે.. સાથે જ NDRFની 6 ટીમ જામનગરમાં પહોંચશે..એક ટીમ જામનગર અને બાકી ટીમ ડિપ્લોય કરવામાં આવશે.. રાત સુધીમાં વાવાઝોડાની જિલ્લામાં અસર દેખાય તેવી શક્યતા છે.
દિવ-દમણ દાદરાનગર હવેલીમાં ભારે નુકસાન
6 નવેમ્બર મધરાત્રે મહા વાવાઝોડુ દરિયા કિનારે પહોંચશે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના દરિયા કિનારે ટકરાશે. દમણ-દિવ, દાદરાનગર હવેલીમાં પણ વાવાઝોડાની અસર થશે
6 અને 7 નવેમ્બરે વાવાઝોડાની અસર જોવા મળશે.
માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના
દીવમાં માછીમારી સંપુર્ણ રીતે બંધ કરાઇ છે. તમામ બીચો ખાલી કરાયા છે. દરિયા કિનારે ચાલતી તમામ રાઇડો હટાવી લેવાઇ છે. મહા વાવાઝોડાથી ઓછામાં ઓછુ નુકસાન થયા તેવા તંત્રનો પ્રયાસ છે.