ભારતનો પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું કે રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીની સાથે જ વિરાટ કોહલી સારી કેપ્ટનસી કરી રહ્યો છે. કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં સારો બેટ્સમેન છે અને ભારતનો સૌથી સફળ કેપ્ટન છે.
કોહલીની કેપ્ટનસી પર ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન
કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં સારો બેટ્સમેન છે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને સાંસદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની ચાલી રહેલી સફળ કેપ્ટનસીની પાછળ બે દિગ્ગજોનો હાથ જણાવ્યો છે. ગૌતમ ગંભીરે જણાવ્યું કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને હાલનો વાઇસ કેપ્ટન રોહિત શર્માના કારણથી કોહલી ટીમ ઇન્ડિયાની કેપ્ટનસી કરી શકે છે.
મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ગંભીરે કહ્યું,
'કોહલીએ વર્લ્ડકપમાં ખૂબ જ સારી કેપ્ટનસી કરી, પરંતુ હજુ એને લાંબા રસ્તો કાપવાનો છે. કોહલી ઇન્ટરનેશલ ક્રિકેટમાં અત્યાર સુધીની સારી કેપ્ટનસી એટલા માટે કરી શક્યો છે કારણ કે લાંબા સમયથી એની ટીમમાં રોહિત શર્મા અને એમએસ ધોની જેવા ખેલાડી છે.'
કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં સારો બેટ્સમેન છે અને ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. પરંતુ IPL માં એને કેપ્ટન તરીકે કોઇ સફળતા મળી નથી. ધોનીને ભારતના મહાન કેપ્ટનોમાંથી એક માનવામાં આવે છે જેમને ટીમે બે વર્લ્ડકપ અપાવ્યા છે, જ્યારે રોહિત ફ્રેન્ચાઇઝી કેપ્ટનના રૂપમાં ખૂબ જ સફળ રહી છે અને મુંબઇ ઇન્ડિયન્સનો ચાર આઇપીએલ પુરસ્કાર અપાવી ચુક્યો છે.
ગંભીરે કહ્યું કે, 'ચેન્નાઇ સુપર કિંગ્સ માટે ધોનીએ જે પ્રાપ્ત કર્યું એ રોહિત શર્માએ મુંબઇ ઇન્ડિયન્સ માટે પ્રાપ્ત કર્યું છે. જો તમે આરસીબી સાથે સરખામણી કરો છો, તો પરિણામ બધાની સામે છે.'
ગંભીરે કહ્યું કે રોહિત ખૂબ સારો ખેલાડી છે,, જે બેંચ પર બેઠુ છે અને એને ટેસ્ટ મેચોમાં પણ ઇનિંન્ગની શરૂઆત કરવી જોઇએ. એને કહ્યું, 'મને લાગે છે કે કેએલ રાહુલને ઘણી તક આપવામાં આવી છે. રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગની તક આપવાનો સમય આવી ગયો છે.'
ગંભીરે કહ્યું, 'જો તમે રોહિતને ટીમમાં લો છો, તો એને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બનાવવો પડશે. જો એ તમારા પ્લેઇંગ ઇલેવનમાં ફીટ થતો નથી, તો એને 15 અથવા 16ની ટીમમાં લેવાનો કોઇ મતલૂ નથી.'