ગુજરાતમાં હાલ કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની ખાનગી કોવડ હોસ્પિટલો ખાલીખમ જોવા મળી રહી છે. શહેરીની ડેઝિગ્રેટેડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી જોવા મળ્યાં છે.
અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલો થઇ ખાલીખમ
અમદાવાદની ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી
કોરોના કેસોમાં ઘટાડો થતા તંત્ર માટે પણ રાહતના સમાચાર
અમદાવાદમાં હાલ કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં શહેરની કોવિડ હોસ્પિટલો ખાલીખમ જોવા મળી રહી છે. શહેરમાં આવેલી ડિઝેગ્રેટેડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી થયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 90 ખાનગી હોસ્પિટલ સાથે કરાર કરાયા છે. જેમાં કુલ 3 હજાર 395 બેડ ઉપલબ્ધ કરાયા હતા. જો કે હાલ માત્ર 232 બેડ પર જ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ જોવા મળ્યાં છે. આમ હાલ 3163 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી થયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 19 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
પ્રેસનોટ અનુસાર, ગઇકાલના 24 કલાક દરમિયાન કોરોનાના 485 નવા કેસસામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 256,852 દર્દીઓ નોંધાઇ ચૂક્યા હતા. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.98 ટકા જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં આજે 103 કેસ નોંધાયા હતા. જ્યારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવાની રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.
રાજ્યમાં 6 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 709 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,46,516 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 5967 એક્ટિવ કેસ છે. જેમાંથી 52 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં ગઇકાલે 2 દર્દીના મોત
આજે કોવિડ-19થી 2 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4369 થઇ ગઇ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દી અને સુરતમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 99 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ, સુરત શહેરમાં 84, સુરત ગ્રામ્યમાં વધુ 08 કેસ, વડોદરા શહેરમાં 72, ગ્રામ્યમાં વધુ 23 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 51 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 14 કેસ, મહેસાણામાં 14 કેસ નોઁધાયા છે જ્યારે અરવલ્લી, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડમાં એક પણ કેસ નથી નોંધાયો.