સંક્રમિતોની સારવાર કરતા જીવ ગુમાવનાર ચેન્નાઈના 55 વર્ષીય ડૉ. સિમોન હકર્યૂલિસના મૃતદેહ દફનાવવા માટે પરિવારજનો અને તેમના મિત્ર ડોક્ટરોને ન ફ્ક્ત એકથી બીજા કબ્રસ્તાન ભટકવુ પડ્યું, બલ્કિ પોશ વિસ્તારના લોકોએ તેમના પર પત્થર મારો કર્યો. જાણો કોરોના વોરિયર્સ માટે થાળી ને તાળી વગાડનારા સમાજની માનસિકતા કેવી રીતે છતી થઈ છે.
પરિવાર કોરોના વૉરિયર ડૉક્ટરનો મૃતદેહ લઈ ભટક્યો
એમ્બ્યુલન્સના ડ્રાઈવર તથા સફાઈકર્મી આ ઘટનામાં ઘાયલ થયા
કબ્રસ્તાનમાં 300 લોકોએ તેનો વિરોધ કર્યો
ચેન્નાઈમાં હોપ નામની હોસ્પિટલ ચલાવી રહેલા ન્યૂરોસર્જન ડૉ. સિમોને એક દર્દીથી થયેલા સંક્રમણ બાદ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમનું નિધન થયું હતુ ચેન્નાઈ નગર નિગમમાં તેમના અંતિમ સંસ્કાર કિલપોક ક્ષેત્રના કબ્રસ્તાનમાં કરવાની વ્યવસ્થા કરી હતી. તેમનો મૃતદેહ લઈને પરિવારજનો ત્યાં પહોંચ્યા તો 300 લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
ડો. સિમોનના મિત્ર ડૉ. બારિયારાજે જણાવ્યું કે લોકો માની રહ્યા નહોતા જેથી નિગમે મૃતદેહ દફનાવવા માટે અન્નનગર સ્થિત કબ્રસ્તાનમાં તેની વ્યવસ્થા કરી હતી. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો 50-60 લોકોએ તેમના પર પથ્થર મારો કર્યો હતો. પોલીસદળની વચ્ચે રાતે 1.30 વાગે ફરી તેમનો મૃતદેહ કિલપોક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો. તેમના મૃતદેહને લઈને પહોંચેલી એમ્બ્યુલન્સના ડ્રાઈવર તથા સફાઈકર્મી આ ઘટનામાં ઘાયલ થયા હતા. જાણવા મળ્યુ છે કે એમ્બ્યુલન્સને નુકશાન થતાં ચાલતા જવુ પડ્યુ હતુ.
પોલીસે આ ઘટનામાં 20 લોકોન ધરપકડ કરી છે. આ લોકો સામે કડક કાયદાકીય પગલા ભરવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પ્રદેશના સ્વાસ્થ્ય સચિવ ડૉ. બિલા રાજેશે ટ્વીટ કરી ડૉ. સિમોનને તેમની સેવાઓ માટે વંદન કરી સ્વાસ્થ્યકર્મીઓને રિયલ હિરો ગણાવ્યા.