આર નંબરની ગણતરીના આઘારે કહેવાઈ રહ્યું છે કે કોરોના વાયરસ પહેલાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા કેટલા લોકો સંક્રમિત થયા છે. આ આર નંબર જૂનના છેલ્લા અઠવાડિયે ઘટ્યો અને હવે વધી રહ્યો છે.
દેશમાં કોરોના વાયરસને લઈને આવ્યો ચોંકાવનારો સ્ટડી
હજુ પણ સંક્રમિતોની સંખ્યા વધવાનું કરાયું છે અનુમાન
આર નંબરની ગણતરીના આઘારે કરાયું છે અનુમાન
દેશમાં કોરોના વાયરસ સંક્રમણને લઈને કરાયેલા એક ગણિતીય સ્ટડી સામે આવ્યો છે જેમાં ભારતમાં કોરોનાની બીજી લહેરના ગયા બાદ રિપ્રોડક્ટિવ નંબર કે આર નંબર(R number)માં એપ્રિલના મધ્ય બાદથી પહેલી વાર વધારો જોવા મળી રહ્યો છે. આર નંબર સંકેત આપે છે કે કેટલી ઝડપથી કોરોના મહામારી ફેલાઈ રહી છે અને તેના અનુસાર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય કોરોના કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.
એક ગણિતિય અનુમાન મનાય છે R number
આર નંબરને એક ગણિતિય અનુમાન માનવામાં આવે છે. તે એની ગણના કરે છે કે કોરોના વાયરસના પહેલાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી કેટલા લોકો સંક્રમિત થયા છે. આ આર નંબર જૂનના છેલ્લા અઠવાડિયામાં ઘટી રહ્યો હતો. પરંતુ 20 જૂનથી 7 જુલાઈની વાત કરીએ તો તે ઝડપથી વધી રહ્યો છે. આ જાણકારી ચેન્નઈના ઈન્સ્ટીટ્યૂટ ઓફ મૈથમેટિકલ સાયન્સના શોધમાં સામે આવી છે. તેનું નેતૃત્વ સીતાભ્રા સિન્હાએ કર્યું અને તેમાં જાણવા મળ્યું કે 20 જૂનથી 7 જુલાઈ સુધીમાં દેશની આર વેલ્યૂ 0.88 હતી. આ આર વેલ્યૂ 15મેથી 26 જૂનની વચ્ચે 0.78 હતી. તેનો અર્થ એ થયો કે દર 100 સંક્રમિત લોકોનો સમૂહ હવે લગભગ 88 લોકોને સંક્રમિત કરી રહ્યો છે.
આ વાત આપી રહી છે થોડી રાહત
હાલમા સ્ટડીમાં એ વાતથી રાહત મળી રહી છે કે આર વેલ્યૂ હવે 1થી પણ નીચે છે. આ ઝડપથી વધી શકે છે. જો આર વેલ્યૂ 1થી વધે છે તો માનવામાં આવશે કે સંક્રમિત વ્યક્તિ એકથી વધારે લોકોને સંક્રમિત કરી રહ્યા છે. આ કોરોનાના કેસના વધવાનું કારણ હોય છે.
દેશમાં કેરળનો આ વેલ્યૂ 1.1 છે જે સૌથી ખરાબ સ્થિતિનું સૂચન કરે છે
દેશમાં સૌથી ખરાબ સ્થિતિ કેરળની છે. રાજ્યમાં આર વેલ્યૂ 1.1 છે. દેશના કુલ નવા કોરોના કેસમાં કેરળની ભાગીદારી એક તૃતિયાંશ છે. એક તરફ અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યાં કેરળમાં 11000થી 13000ની વચ્ચેના રોજ નવા કેસ આવી રહ્યા છે. આર ગણનામાં મહારાષ્ટ્રમાં વેલ્યૂ 1 હોવાનું અનુમાન છે.