ભારતની સ્વદેશી રસી 'કોવાક્સિન' કોરોના વાયરસ સામે તેની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 81% સુધી અસરકારક સાબિત થઈ છે. આ માહિતી રસી તૈયાર કરતી કંપની ભારત બાયોટેક દ્વારા આપવામાં આવી હતી.
કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર
ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 81 ટકા સફળ હોવાનો થયો ખુલાસો
25,800 લોકો પર હાથ ધરાયું ટેસ્ટિંગ ટ્રાયલ
ભારત બાયોટેકે અહેવાલ આપ્યો છે કે રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણો 25,800 લોકો પર હાથ ધરવામાં આવ્યા છે. આઇસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) સાથે હાથ ધરાયેલ અજમાયશ એ ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી કક્ષાની ક્લિનિકલ ટ્રાયલ છે.
રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે દેશમાં
આપને જાણાવી દઇએ કે, ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. દેશમાં બે રસીઓ લગાવવામાં આવી રહી છે, જેમાંથી એક કોવાક્સીન છે અને બીજી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની 'કોવિશિલ્ડ' છે.
COVAXIN has demonstrated an interim vaccine efficacy of 81% in its Phase 3 clinical trial. The trials involved 25,800 subjects, the largest ever conducted in India, in partnership with ICMR: Bharat Biotech pic.twitter.com/jDIka9LIEE
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓએ કોરોના વાયરસ સામે રસી લીધી હતી. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર વડા પ્રધાન મોદીએ દેશમાં ઉત્પાદિત કોવાસીનનો ડોઝ પણ પોતે લીધો હતો. તો આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
કોવાક્સિન શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે
કોવાક્સિન ભારત બાયોટેક દ્વારા આઈસીએમઆરના સહયોગથી બનાવવામાં આવેલી રસી છે. ડેડ કોરોના વાયરસનો ઉપયોગ તેના ઉત્પાદનમાં કરવામાં આવ્યો છે, જેથી લોકોને રસી દ્વારા કોઈ નુકસાન ન થાય. તે વાયરસ સામે શરીરમાં એન્ટિબોડીઝ પેદા કરે છે.
રસીના બે ડોઝ છે, બંને કોવિસિન અને કોવિચિલ્ડ. બે ડોઝ વચ્ચે 28-દિવસનું ગેપ રાખવાનું છે. આનો અર્થ એ કે જો તમે આજે રસીનો પ્રથમ ડોઝ લીધો હોય, તો તમારે બીજો ડોઝ 28 દિવસ બાદ લેવો પડશે.
સંક્રમણમાં 2 ટકા ઘટાડો થયો છે
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તમામ હોસ્પિટલોને કોવિડ 19 રસીકરણ સત્રની યોજનાઓના અનુરુપ સંપૂર્ણ સમયા માટે રસી ફાળવણી સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. આ હોસ્પિટલોમાં સરકારી અને ખાનગી બન્નેનો સમાવેશ કરાયો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારચમાં કોવિડ 19 સંક્રમણમાં 2 ટકા ઘટાડો થયો છે. જેનાથી ખબર પડે છે કે મહામારી નિયંત્રણમાં આવવાની નજીક છે . કેન્દ્રએ એક બેઠકમાં વાગોળ્યું કે રસીની કોઈ અછત નથી અને એટલા માટે પુરતા પ્રમાણમાં રસીના ડોઝને કોવિડ રસીકરણ કેન્દ્રોને ફાળવવામાં આવે.