વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પહોંચી વળવા માટે લોકડાઉનનો સમય વધારીને ભારતે 3 મે કરી નાંખ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રને સંબોધન કરતા આ જાહેરાત કરી હતી. ત્યારે WHOએ ભારતના આ નિર્ણયના વખાણ કર્યા છે.
ભારત સંપૂર્ણ રીતે કટિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે
દરેક વ્યક્તિનું સૌથી વધારે યોગદાન ખૂબ મહત્વનું છે
પીએમ નરેન્દ્ર મોદીના આ નિર્ણયના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વખાણ કર્યા હતા. WHOએ મંગળવારે ભારતે લોકડાઉનનો સમય વધાર્યાના નિર્ણયના વખાણ કરતા કહ્યું હતું કે ભારતનું આ પગલુ કોરોનાને હરાવવા માટે મહત્વનું છે. પીએમ મોદીએ 25 માર્ચે અમલમાં મુકેલા લોકડાઉનનો સમય 14 એપ્રિલથી વધારીને 3 મે કરી છે.
WHOના ફિલ્ડ ડિરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે ‘કોરોનાને રોકવા માટે સમયસર કરવામાં આવેલા આ આકરા પગલાને WHO વખાણ કરે છે. સંક્રમણને રોકવા માટે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે. અત્યારે આ વિશે કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે. પરંતુ લોકોની વચ્ચે સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ) બનાવી રાખવા ઉપરાંત અસરકારક પગલાઓ માટે 6 અઠવાડિયાનું દેશવ્યાપી લોકડાઉન, વાયરસના સંક્રમણને વધતું અટકાવવામાં અસર કારક સાબિત થશે. ’
ડો. સિંહે કહ્યું હતું કે ઘણા મોટા પડકારો છતા આ મહામારીને હરાવવા ભારત સંપૂર્ણ રીતે કટિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ વાયરસને હરાવવાની પરિક્ષામાં દરેક વ્યક્તિનું સૌથી વધારે યોગદાન ખૂબ મહત્વનું છે.’