તેવામાં દેશના કેટલાક રાજ્યો જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, મધ્યપ્રદેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતે તંત્ર અને રાજ્ય સરકારો દ્વારા કેટલાક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે છતા કોરોનાના કેસ અટકવાનું નામ નથી લઇ રહ્યા.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,258 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે, 30,386 લોકો સાજા થઇ ગયા છે. જણાવી દઇએ કે, 24 કલાકમાં કોરોના કારણે 291 લોકોના મોતની પુષ્ટિ થઇ છે.
સ્વાસ્થ્ય વિભાના અનુસાર, અત્યાર સુધી કોરોનાથી કુલ 1,19,08,910 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે દેશમાં 4,52,6476 કોરોનાના એક્વિવ કેસ છે. દેશમાં કુલ 1,12,95,023 લોકો સાજા થઇ ચૂક્યા છે. કોરોના મહામારીના કારણે 1,61,240 લોકોના મોત થઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમણ
જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ ફરીથી જોવા મળી રહ્યા છે. માત્ર 6 દિવસની અંદર મહારાષ્ટ્રમાં 1 લાખ 80 હજારથી વધુ સંક્રમણના નાવા કેસ સામે આવ્યા છે. ત્યારે આ વચ્ચે 608 લોકોના મોતની પુષ્ટિ થઇ ગઇ છે.
મહત્વનું છે કે, મહારાષ્ટ્ર માટે આ અઠવાડીયું ઘણુ ખરાબ રહ્યું છે. સાથે જ કોરોના સંક્રમણના વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકારોની ચિંતા પણ વધી ગઇ છે. જણાવી દઇએ કે, આ કારણે દેશભરમાં વક્સિનેશનની પ્રક્રિયાને વધુ તેજ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ: 24 કલાકમાં 2190 નવા કેસ(26-3-2021)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2190 કેસ નોંધાયા છે અને 1422 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,81,707 કોરોના મુક્ત થયાં છે. તો 6 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4479 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.