શુક્રવારે તેલંગાણાથી ઝારખંડની વચ્ચે સ્પેશિયલ ટ્રેન રવાના થઇ. આશરે 1200 પ્રવાસી મજૂરોને લઇને આ સ્પેશિયલ ટ્રેન હૈદરાબાદના લિંગમપલ્લીથી ઝારખંડના હટિયા માટે રવાના થઇ. લૉકડાઉન વચ્ચે પહેલી વખત રેલવેએ યાત્રી ટ્રેન ચલાવી.
લૉકડાઉનની વચ્ચે પહેલી વખત રેલવેએ ચલાવી સ્પેશિયલ ટ્રેન
તેલંગાણાથી પ્રવાસી મજૂરોને લઇને ઝારખંડ માટે નિકળી સ્પેશિયલ ટ્રેન
ટ્રેનમાં ઝારખંડના આશરે 1200 પ્રવાસી મજૂર સવાર હતા, જે લૉકડાઉનમાં ફસાયા હતા
આ માત્ર એક જ ટ્રેન ચાલી રહી છે, બાકી જગ્યા પર કોઇ ટ્રેન નથી ચલાવામાં આવી અને નથી આવી કોઇ યોજના
રેલવેએ લૉકડાઉન શરૂ થયા બાદ પહેલી વખત શુક્રવારે કોઇ પેસેન્જર ટ્રેન ચલાવી છે. આ સ્પેશિયલ ટ્રેન તેલંગાણાના લિંગમપલ્લીમાં ફસાયેલા 1200 પ્રવાસીઓને ઝારખંડના હટિયા સુધી લઇ જવા માટે રવાના કરવામાં આવી, જે રાતે આશરે 11 વાગ્યે હટિયા પહોંચશે. ધ્યાનમાં રાખો કે આ સ્પેશિયલ ટ્રેન છે. હાલ માત્ર આ એક જ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, બાકી જગ્યા પર ટ્રેનો ચાલી રહી નથી. રેલવે પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યુ છે કે કેન્દ્ર સરકારના નિર્દેશ વગર ટ્રેનો ચલાવવામાં આવશે નહીં.
યોગ્ય વ્યવસ્થા થાય ત્યાં સુધી જ્યાં છે ત્યાં રહે પ્રવાસી: કેજરીવાલ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દેશના ખૂણા ખૂણામાં મોટી સંખ્યામાં પ્રવાસી રહે છે. શુક્રવારે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે બીજા રાજ્યોના પ્રવાસીઓને ઘર વાપસી કેવી રીતે થશે તો એમને કહ્યું કે કોઇ યોગ્ય વ્યવસ્થા થાય ત્યાં સુધી લોકો ઘરમાં જ રહે. એમને કહ્યું કે એમની તમામ રાજ્ય સરકારો સાથે વાત થઇ રહી છે. જેવી કોઇ વ્યવસ્થા થશે પ્રવાસીઓને રાના કરવામાં આવશે. એમને કહ્યું ત્યાં સુધી ઘરમાં જ રહો.
પ્રવાસીઓને માત્ર બસોથી લાવા લઇ જવાની પરવાનગી
બે દિવસ પહેલા જ કેન્દ્રએ રાજ્યોમાં લૉકડાઉન દરમિયાન ફસાયેલા પોતાને ત્યાં પ્રવાસીઓને નિકાળવા માટે મંજૂરી આપી દીધી છે, જો કે પ્રવાસીઓને માત્ર બસથી જ લઇ જવાની પરવાનગી છે પરંતુ કેટલાક રાજ્ય કેન્દ્રને એના માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની માંગણી કરી ચુક્યા છે.
કેન્દ્રની ગાઇડલાયન્સ પ્રમાણે પ્રવાસીઓને બસોથી લઇ જઇ શકાય છે. એમને બેસાડવામાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવાનું છે. મહારાષ્ટ્રએ તો નક્કી કરી દીધું છે કે પ્રવાસીઓને લઇ જવા માટે બસોમાં 30 થી વધારે લોકો બેસી શકશે નહીં, એનાથી પ્રતિ વ્યક્તિ લાવવાનો ખર્ચ પણ વધારે થશે.