ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં કોંગ્રેસ મદદે આવ્યું છે. કોંગ્રેસ તમામ શ્રમિકોની ટિકિટના પૈસા આપવાની તૈયારી બતાવી છે. કોરોના વોરિયર્સની પુષ્પવર્ષાથી સ્વાગતમાં ખર્ચાયેલા પૈસા સરકાર સારા કામમાં વાપરી શકી હોત. એવો ટોણો મારતા જ ભાજપ સરકાર પર માછલા ધોઈને કોંગ્રેસે શ્રમિકોની મદદ માટે માસ્ટર પ્લાન બનાવી દીધો છે.
સોનિયા ગાંધીના સૂચન બાદ કોંગ્રેસ એક્શનમાં
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા 17 ઇન્ચાર્જ નીમવામાં આવ્યા
પરપ્રાંતીય લોકોની મદદ કરવા માટે ઇન્ચાર્જ નિમાયા
શ્રમિકોને વતન પરત મોકલવા કોંગ્રેસ વ્હારે આવ્યું છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, અમિત ચાવડા જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસે શ્રમિકોનું લીસ્ટ જિલ્લા કલેક્ટરોને મોકલ્યું છે. ટિકિટનું ભાડુ કેવી રીતે ચુકવવું તેની ગોઠવણ અંગ ચર્ચા ચાલી રહી છે. કલેક્ટરો સાથે ચર્ચા બાદ પેમેન્ટ માટેની વ્યવસ્થા કરાશે.
અમિત ચાવડાએ કહ્યુ અમે તેમની સાથે છીએ
કોંગ્રેસ બિન ગુજરાતી પરિવારોના વહારે આવ્યું છે. અને કોંગ્રેસે શ્રમિકોને રેલવે ટિકિટનો ખર્ચ આપવાની જાહેરાત કરી છે. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી બિનગુજરાતીઓ માટે મદદ શરૂ કરાઇ છે. વતન પરત ફરવા ભાડુ અને ઓનલાઈન ફોર્મ ભરી આપવાની વ્યવસ્થા કરાઇ છે. સરકાર બિનગુજરાતીઓ પાસેથી ભાડુ વસુલે તે નિંદનીય છે. મુખ્યમંત્રી 200 કરોડનું પ્લેન લાવે છે,અને નમસ્તે ટ્રમ્પ પાછળ 100 કરોડ ખર્ચે છે પરંતુ બિનગુજરાતી પાસેથી ભાડુ વસુલે છે. તો અહેમદ પટેલે પણ કહ્યું કે કોંગ્રેસે ફંડ એકઠું કરવાની શરૂઆત કરી છે. સોનિયા ગાંધીની સૂચના બાદ તમામ પ્રદેશ કમિટીઓ પાસે માંગણી કરાઇ છે. પોતાના સ્થાનિક સ્ત્રોત પાસેથી આવક એકત્ર કરવા સૂચન કર્યું છે. આ માટે 17 ઇન્ચાર્ચની નિમણૂક પણ કરાઇ છે
સોનિયા ગાંધીએ શું કરી હતી જાહેરાત?
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ઘરે પરત ફરી રહેલા લોકોની કોંગ્રેસ મદદ કરશે અને શ્રમિકોની રેલ ટિકિટનો ખર્ચો કોંગ્રેસ ઉઠાવશે. પ્રદેશ કોંગ્રેસ કમિટીની કમિટી દરેક એકમમાં મદદ કરશે. શ્રમિકો દેશની કરોડરજ્જુ છે. ત્યાલે લાખો શ્રમિકો પોતાના ઘરે જવા માગે છે. મજૂરો પાસે ન તો પૈસા છે ન કોઇ સાધન છે. ત્યારે 1947 બાદ પહેલી વખત આ સ્થિતિ જોવા મળી રહી છે. શ્રમિકોએ ચાલતા પોતાના ઘરે જવું પડી રહ્યું છે. સોનિયા ગાંધીએ એ પણ સવાલ કર્યો કે વિદેશમાં ફસાયેલા લોકોને વિના ખર્ચે પાછા લાવી શકીએ છીએ તો શ્રમિકોને કેમ નહીં. રેલ મંત્રાલય પીએમ રાહત ફંડમાં 151 કરોડ આપી શકે છે તો શ્રમિકોનો ખર્ચ કેમ ન ઉઠાવી શકે.
શું છે કોંગ્રેસનો પ્લાન?
સોનિયા ગાંધીના સૂચન બાદ કોંગ્રેસ એક્શનમાં
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા 17 ઇન્ચાર્જ નીમવામાં આવ્યા
પરપ્રાંતીય લોકોની મદદ કરવા માટે ઇન્ચાર્જ નિમાયા
જિલ્લા પ્રમુખ પંકજસિંહ વાઘેલાએ GIDC મુજબ કરી નિમણૂંક
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય દરેક જિલ્લા મથકે કંટ્રોલરૂમમાં સંપર્ક કરશે.
ગુજરાતમાંથી અલગ-અલગ રાજ્યમાં શ્રમિકોને મોકલાશે.
કોંગ્રેસે ફંડ એકઠું કરવાની શરૂઆત કરી
સોનિયા ગાંધીની સૂચના બાદ તમામ પ્રદેશ કમિટીઓ પાસે માંગણી
પોતાના સ્થાનિક સ્ત્રોત પાસેથી આવક એકત્ર કરવા સૂચન
ખજાનચી અહેમદ પટેલ દ્વારા કરાયું સૂચન
શ્રમિકોને મદદરૂપ થવા માટે ભંડોળ એક્ઠુ કરવા સૂચન
સ્થાનિક કક્ષાએ ભંડોળ એકઠું કરીને શ્રમિકોને વતન પહોંચતા કરવામાં આવશે