ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાલ બેહાલ છે ત્યારે હવે આ જગ્યાઓમાં સજ્જડ લોકડાઉન જોવા મળી રહ્યા છે.
કોરોનાના કેસ વધતા તંત્ર એક્શનમાં
રાજકોટમાં સંપૂણ લોકડાઉન જોવા મળ્યું
રાજકોટની દુકાનો અને બજારો કરાવી બંધ
રાજકોટમાં કોરોનાના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. રાજકોટમાં સંપૂણ લોકડાઉન જોવા મળ્યું હતુ. રાજકોટની સમગ્ર દુકાનો અને બજારો બંધ કરાવી દીધા છે. પોલીસ દ્વારા નિયંત્રણોના પાલન માટે કવાયત હાથ ધરી છે. રાજકોટમાં એકપણ દુકાન ખુલ્લી નહતી. કામ વિના લોકોને ઘરની બહાર ના નિકળવા અપીલ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માર્ચ મહિનાથી કેસ વધી રહ્યા છે ત્યારે આજે 14352 નવા કેસ સામે આવ્યા છે જયારે 24 જ કલાકમાં સરકારી આંકડા અનુસાર 170 લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત કહી શકાય કે રાજ્યમાં 24 કલાકમાં 7803 લોકો રિકવર પણ થયા છે.
કોરોનાની ગતિ ધીમી પડી!
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
ગુજરાતનો ચિતાર
રાજ્યમાં કોરોના વાયરસના સતત વધતાં કેસના કારણે અત્યારે 127840 એક્ટિવ કેસ છે જ્યારે તેમાંથી 418 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે તથા અત્યાર સુધીમાં 6656 ગુજરાતીઓ કોરોના વાયરસનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ અને સુરતમાં કાળ કોરોનાએ લોકોના જીવ લીધા
કોરોના વાયરસના કારણે સૌથી વધારે તાંડવ અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આજે 5669 કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 1858 કેસ નોંધાયા છે અને 23 દર્દીઓના મોત થયા છે.