સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. વિશ્વમાં આઠ હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આ મહામારીમાં કેટલાક શખ્સો દ્વારા ખોટી અફવામાં ફેલાવમાં આવી રહી છે. જેના કારણે ગૃહ મંત્રાલયે તેમની સામે લાલ આંખ કરી છે. અમદાવાદના 5, વડોદરાના 3, સુરતના 3, એક ગાંધીનગર અને રાજકોટમાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. 19મી માર્ચના દિવસે 3 કેસ પોઝિટિવ હતા ત્યારે 20 માર્ચના રોજ આ કેસની સંખ્યા 7 થઈ હતી અને હવે 21મી માર્ચના રોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.
શું કહ્યું સીએમ રૂપાણીએ?
હોમ કોરોન્ટાઈન કરાયા હોય અને નાસી ગયા હોય તેમને નહીં બક્ષવામાં આવે
નીતિન પટેલે પણ કરી જાહેરાત
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફરતા કરી અને અફવાઓ ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તો જેમને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા અને તેઓ નાસી ગયા હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ જનતાને કરી અપીલ
ગુજરાતમાં કોરોના વાયરસનો સતત કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ જનતા કર્ફ્યૂનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. કહ્યું કે કોરોના વાયરસનો મજબૂતી સાથે સામનો કરવાનો છે. જનતા કર્ફ્યૂથી કોરોના વાયરસની ચેઇન તૂટશે. આપણે કોરોના વાયરસને હરાવવામાં સફળ થઇશું. અને કોરોનાની ચેઇને તોડીને આ રોગથી મુક્તિ મેળવીએ.
શું કહ્યું સીએમ રૂપાણીએ?
ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે કોરોનાની સાઈલકલમાં આપણે સેકન્ડ અને થર્ડમાં છીએ. લોકોના સંપર્કથી વાયરસ ફેલાય છે. કોરોનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. કોરોનાથી મૃત્યુઆંક 2 ટકાથી ઓછો છે. જે બીમારીથી પીડાય તેમને વધુ અસર કરે છે. ગુજરાતમાં કોરોનાના 13 પોઝિટિવ કેસ છે. ગાંધીનગરમાં વિદેશથી આવેલા વ્યક્તિ પોઝિટીવ છે. ગુજરાતમાં રહેતા લોકોને વાયરસની અસર નથી. તો વડિલોને જરૂરિયાત પ્રમાણે જ ઘરની બહાર નીકળવા સૂચના આપી છે. તો સાથે જ કહ્યું કે સરકારની ગાઈડ લાઈનોનું ચુસ્ત પાલન થાય તે પણ જરૂરી છે. લોકો પોતાના હાથ સેનેટાઇઝરથી સાફ કરે અને શરદી, ખાંસી અને તાવની સારવાર કરાવે. જો પોઝિટિવ કેસ હોય તો ટ્રીટમેન્ટ કરાશે.
નીતિન પટેલે પણ કરી જાહેરાત
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે અને કુલ આંકડો 13 સુધી પહોંચી ગયો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વાયરસને લઇ માહિતી આપી. તેઓએ કહ્યું કે આ રોગ ઝડપથી ફેલાય છે. અને નજીકની વ્યક્તિને ઝડપથી વાયરસ લાગુ પડે છે. એક પોઝિટિવ દર્દીમાંથી આસપાસના લોકો સુધી વાયરસ પહોચે છે. તેથી લોકો બિનજરૂરી એકત્ર ન થયા. હાલ મંદિરોમાં પણ દર્શન માટે પ્રતિબંધ મૂકી દીધા છે. અને મોલમાં પણ જીવનજરૂરી વસ્તુઓ જ મળશે. મોલમાંથી અન્ય વસ્તુઓ નહી મળી શકે. સાથે જ નીતિન પટેલે અપીલ કરી છે કે સીનિયર સિટિજન બહાર ન નીકળે. કોરોનાને લઇ વધુ માહિતી આપતા તેઓએ કહ્યું કે નગરિકોના સહયોગથી જ રોગ અટકી શકે છે. વડોદરામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3 માંથી 2 લોકો શ્રીલંકાથી પરત ફર્યા હતા. વડોદરામાં એક વ્યક્તિ ચીનથી પરત ફર્યા હતા. એક સુરતના વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 12 વ્યક્તિ વિદેશી ગુજરાતીઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જો કે ગુજરાતમાં વેન્ટિલેટર પર એક પણ દર્દી નથી.