કોરોનાગ્રસ્ત દર્દીઓના કચરા મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે એટલું જ નહીં પરંતુ સફાઈ કર્મીઓ માટે પણ હાઈકોર્ટ દ્વારા કેટલાક હુકમ કરવામાં આવ્યા છે જેથી સફાઈ કર્મીઓનું સ્વાસ્થ્ય જળવાય. આવો જાણીએ શું આદેશ કર્યા છે હાઈકોર્ટે?
હાઈકોર્ટે સફાઇ કર્મીઓની સેફ્ટી બાબતે કર્યો મહત્વનો હુકમ
તમામ કર્મચારીઓને PPE કીટ આપવા આદેશ
કોરોનાગ્રસ્ત દર્દીઓના કચરા બાબતે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે ગુજરાત સરકાર અને તંત્રને આદેશ આપ્યો છે કે, સરકારી ગાઈડ લાઈન મુજબ જ કોરોનાગ્રસ્ત દર્દીઓના કચરાનો નિકાલ થવો જોઈએ એટલું જ નહીં પરંતુ સફાઈ કર્મીઓ માટે પણ હાઈકોર્ટે મહત્વના નિર્દેશ કર્યા છે.
શું કહ્યું હાઈકોર્ટે?
કોરોનાગ્રસ્ત દર્દીઓના કચરા બાબતે હાઇકોર્ટનો મહત્વનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સફાઇ કર્મીઓની સેફ્ટી બાબતે મહત્વનો હુકમ કર્યો છે. તમામ કર્મચારીઓને PPE કીટ આપવા આદેશ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ સેફ્ટી તથા મેડીકલના સાધનો ઉપલબ્ધ કરાવવા પણ આદેશ કરાયો છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા અને સમાન ઉપલબ્ધ કરાવવામાં આવે તેવો તંત્રને હાઈકોર્ટે આદેશ કર્યો છે.
કોરોનાની મહામારીએ કોરોના વોરિયર્સના જીવ જોખમમાં મુક્યા છે અને સફાઈ કર્મચારી પણ સીધા વોરિયર્સ છે.