ગુજરાતમાં કોરોનાનીસ્થિતિ વણસતા દ્વારકાધીશના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
દ્વારકાનું મંદિર 30 એપ્રિલ સુધી બંધ
કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
ભક્તો નહીં કરી શકે દર્શન
ગુજરાતમાં કોરોનાના કેસ ખુબજ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 54 લોકોના મોત થવાને કારણે ખુદ હાઈકોર્ટે પણ તંત્રને આ અંગે તાકીદ કરી છે ત્યારે કોરોનાના કેસ પણ વધ્યા છે.
મંદિરો બંધ
દ્વારકાનું સુપ્રસિદ્ધ જગતમંદિર 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યુ છે. દ્વારકાધીશ સહિતના અન્ય દેવસ્થાનો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા દ્વારકાનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો માટે દ્વારકાધીશ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 54 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1504 કેસ જ્યારે સુરત શહેરમાં 1087 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 361 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 277 કેસ, જ્યારે ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...