કોરોના મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજીને માહિતા આપી હતી જેમાં તબલીગી જમાત અંગે પણ જાણકારી આપી હતી. હાલ કોટ વિસ્તારમાં કોરોનાએ ભરડો લીધો છે. એક બે નહીં પણ એક સાથે 50 કેસ સામે આવ્યા છે. તબલીગી જમાતને કારણે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કમ્યુનીટી ટ્રાન્સમિશની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યુ છે ત્યારે પોલીસ કમિશનરે પણ પોલીસની કામગીરી અંગે કેટલીક મહત્વની બાબતો જણાવી હતી.
ક્વોરન્ટાઈન વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત઼ છેય ક્વોરોન્ટાઈન વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. આ અંગે પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે, પોલીસ કર્મચારીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઝોન 5 એ બનાવેલ એપ દ્વારા હવે અધિકારિઓનું ચેકીંગ થશે બેન્ક પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
11 જમાતીનું દિલ્હી તબલીગી જમાતનું કનેકશન
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતુ કે દિલ્હી નિઝામુદ્દીન મરઝમાં તબલિગ જમાતના વધુ એક વ્યક્તિની ઓળખ થઈ. કુલ 11 જમાતીનું દિલ્હી તબલીગી જમાતનું કનેકશન સામે આવ્યું છે
અમદાવાદ પોલીસ કમિશનરે શું કહ્યું?
અત્યાર સુધીમાં 1829 ગુનાઓ લોકડાઉન દરમિયાન નોંધાયા
કલમ 144નો ભંગ કરતા 1744 ગુના નોંધાયા
5243 લોકોની ધરપકડ થઈ
બિનજરૂરી બહાર નિકળતા લોકો પર કાર્યવાહી
25 ડ્રોન અમદાવાદમાં ઉડાડવામાં આવ્યા
હોમ ક્વોરેન્ટાઈનમાં 1853 લોકોનું ચેકિંગ
શહેરના 14 વિસ્તાર ક્લસ્ટર ક્વોરેન્ટાઈન
ક્વોરેન્ટાઈન વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
બેંક હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે બંદોબસ્ત