ગુજરાતમાં કોરોનાનું તાંડવ ભરપુર જામ્યુ છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાથી ગઈ કાલે 23 લોકોના મોત થયા છે. અને 274 નવા કેસ ઉમેરાતા જ અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 3817 પર પહોંચી ગયુ છે. આજ સાંજ સુધીમાં આ આંક 4000 પાર કરી જશે ત્યારે પૂર્વ અને પશ્ચીમ અમદાવાદના કનેક્શન કાપીને જ્યાં ચેપ હજુ વધુ નથી ફેલાયો તેને સાચવવાની કોશિશો આદરવામાં આવી છે.
આજથી અમદાવાદમાં કડકપણે અમલી બનશે લોકડાઉન 3.0
પૂર્વ-પશ્ચિમને જોડતા 5 બ્રિજ અમદાવાદમાં બંધ કરાયા
10 વિસ્તારને કરાયા કોન્ટેન્ટમેન્ટ
આજથી અમદાવાદમાં લોકડાઉન 3.0 કડકપણે અમલી બનશે. પૂર્વ-પશ્ચિમને જોડતા 5 બ્રિજ અમદાવાદમાં બંધ કરાયા છે. હવે માત્ર 2 બ્રિજથી વાહન વ્યવહાર થશે. અમદાવાદમાં પૂર્વ પશ્ચીમને અલગ એટલે રખાયા છે કે કોટ વિસ્તારમાં ફેલાયેલો કોરોનાનો કોહરામ નદી પેલે પારના ચેપ રહીતના વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. ત્યારે આજથી જ અમદાવાદમાં લોકડાઉનના નિયમો કડક બનાવાયા છે અને આ માટે ખાસ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવ્યા છે. 10 વોર્ડને કોન્ટન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
કયા બ્રિજ કરાયા બંધ
ગાંધીબ્રિજ
દધિચી બ્રિજ,
નહેરુ બ્રિજ
આંબેડકર બ્રિજ
સરદાર બ્રિજ
કયા બ્રિજ પર શરતી અવરજવર ચાલુ
સુભાષ બ્રિજ અને એલિસબ્રિજ પર શરતી અવરજવર ચાલુ છે જેમા પણ પુરતી તપાસ બાદ જ લોકોને આવવા જવા દેવામાં આવે છે.
કયા 10 ઝોનને કરાયા કન્ટેન્ટમેન્ટ
મધ્ય ઝોનનામાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા અને દક્ષિણ ઝોનના બહેરામ પુરા, દામીલીમડા અને મણીનગરનો સમાવેશ થાય છે. ઉ. ઝોનનો સરસ પુર અને પૂર્વ ઝોનનો ગોમતીપુર એમ 10 વોર્ડને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.