કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે ત્યારે દરેકે સતર્ક રહેવાની જરૂર છે. ભારતમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને મૃત્યુઆંક 82 હજારને પાર થયો છે. આ મહામારીથી બચી રહેવા માટે જરૂરી છે કે તમે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરો. આયુષ મંત્રાલયે પણ કોરોનાથી બચવા માટે અનેક ચીજો ખાવાની સલાહ આપી છે. પરંતુ જો તમે ખાસ કરીને લસણ અને પિસ્તાનું સેવન કરો છો તો તમારી ઇમ્યુનિટી વધી શકે છે.
કોરોનાનું સંકટ બન્યુ મુશ્કેલ
ઈમ્યુનિટી વધારવા આ 2 ચીજનું રોજ કરો સેવન
લસણ અને પિસ્તા વધારશે તમારી ઈમ્યુનિટી
આ રીતે ખાઓ લસણ
લસણ અને પિસ્તાનું જો નિયમિત રીતે સેવન કરવામા આવે તો તે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. માનવામાં આવે છે કે જે લોકો યોગ્ય રીતે તેનું સેવન કરે છે તેના શરીર પર વાયરલ, બેક્ટેરિયલ અને ફંગલ કોઈ પણ સંક્રમણની અસર સરળતાથી થતી નથી, જો ઈમ્યુનિટી મજબૂત હશે તો કોરોના વાયરસની અસર શરીર પર ઓછી રહેશે અથવા ન પણ રહે તેવું શક્ય છે. આ માટે તમારે યોગ્ય પ્રમાણમાં લસણનું સેવન કરવું જોઈએ. તમે લસણની ચટણી કે પછી કાચું લસણ પણ ઉપયોગમાં લઈ શકો છો.
લસણના ફાયદા
લસણ શરીરમાં અનેક હાનિકારક તત્વોને દૂર કરે છે અને સાથે બ્લડપ્રેશરને પણ ઓછું કરે છે. જેમને હાઈ બીપીની સમસ્યા છે તેઓ માટે લસણ લાભદાયી છે. ક્યારેક સીમિત પ્રમાણમાં તેનું સેવન કરવું અને શક્ય હોય તો ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું.
પિસ્તાથી થાય છે આ ફાયદા
લસણની જેમ પિસ્તામાં પણ અનેક ફાયદા મળે છે. સવારે તેનું સેવન કરવાથી લાભ થાય છે. જો તમે સાંજના સમયે તેને ખાવા ઈચ્છો છો તો કસરત કર્યા બાદ ખાઈ શકો છો, તેનાથી શરીરને ઉર્જા મળે છે. પિસ્તામાં વિટામીન બી 6 વધારે હોય છે. જે સ્વસ્થ ઈમ્યુન સેલ્સને સતત વધારીને ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.