કોરોના વાયરસને લઇને હાલ રાજ્યમાં પરિસ્થિતિ થોડી વણસી રહેલી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં લોકડાઉનના પગલે રોજગાર-ધંધા ઠપ થઇ ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જનતાના હીતને લઇને ખાસ પગલા ભરવામાં આવી રહ્યાં છે ત્યારે ગઇકાલે મળેલી બેઠકમાં રાજ્યના 65 લાખ ગરીબ શ્રમજીવીઓ માટે 650 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી.
રાજ્યના 65 લાખ ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો માટે સહાય પેકેજ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 65 લાખ ગરીબ શ્રમજીવી અસંગઠિત કામદારો, બાંધકામ શ્રમિકો માટે આર્થિક સહાયનું રૂ.650 કરોડનું પેકેજ જાહેર કરતા જણાવ્યું કે રાજ્યની સંવેદનશીલ સરકારે લૉકડાઉનની સ્થિતીમાં આવા પરિવારોના ખાતામાં રુ.1000 ની રોકડ સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતાં.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હાલની કોરોનાની પરિસ્થિતિને લઇને આવા પરિવારોને આર્થિક સહાયના પૈસા મળશે. આ સાથે કંપનીઓ, ફેકટરીઓ અને ઘરે કામ કરનારા કામવાળાઓને પણ જે-તે વ્યક્તિ કે સંસ્થાઓએ પગાર ચૂકવવો પડશે.