આ સતત છઠ્ઠો દિવસ છે. જ્યારે કોરોનાના મામલા ઝડપથી વધતા જોવા મળ્યા છે. નવા કેસોમાં આંકડા રિકવર થનારાની સંખ્યામાં 3 ગણા વધારે છે.
નવા કેસોમાં આંકડા રિકવર થનારાની સંખ્યામાં 3 ગણા વધારે
એક દિવસમાં 33, 750 નવા કોરોનાના કેસ મળ્યા
આજથી 15થી 18 વર્ષના બાળકોને લાગશે રસી
કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ગત એક દિવસમાં ભારતમાં 33, 750 નવા કોરોનાના કેસ મળ્યા છે. આ સતત છઠ્ઠો દિવસ છે. જ્યારે કોરોનાના મામલા ઝડપથી વધતા જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે નવા કેસોમાં આંકડા રિકવર થનારાની સંખ્યામાં 3 ગણા વધારે છે. એક દિવસમાં માત્ર 10, 846 લોકો જ રિકવર થયા છે. જ્યારે 123 લોકોના મોત થયા છે. નવા કેસોની સરખામણીએ રિકવરી બહું ઓછી હોવાના કારણે એક્ટિવ કેસોમાં ઝડપથી વધારો થયો છે. દેશમાં સક્રિય મામલાના આંકડામાં તેજી થી વધતા 1, 45, 582 થઈ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના ચાલતા 4, 81, 893 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
હાલમાં રાતની વાત એ છે કે કોરોનાના ચાલતા ડેથ રેટ ઓછો છે અને બહું વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નથી પડી રહી. આ ઉપરાંત એક્ટિવ કેસ અત્યાર સુધી દેશમાં મળેલા કુલ કેસની સરખામણીએ 0.42 ટકા છે. પરંતુ વીકલી પોઝિટિવિટી રેટ તેજીથી વધી રહ્યો છે. 1.68 ટકા અને ડેલી રેટ 3.84 ટકા થઈ ગયો છે. ગત અઠવાડિયામાં કોરોના સંક્રમણના મામલામાં 3 ગણા સુધી વધારો જોવા મળ્યો છે. જે સરકારો ઉપરાંત સામાન્ય લોકોની પણ ચિંતા વધારનારા છે. જો કે એક્સપર્ટ્સનું માનવું છે કે મોટા પાયા પર રસીકરણના ચાલતા હવે આવનારી ત્રીજી લહેર પહેલા જેટલી ઘાતક નહીં હોય.
આજથી 15થી 18 વર્ષના બાળકોને લાગશે રસી
હાલમાં રિકવરી રેટ દેશભરમાં 98.20 ટકા છે. પરંતુ જે રીતે નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી આવનારા દિવસોમાં સંકટ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે આજથી દેશમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી લાગવાની શરુઆત થવાની છે. અત્યાર સુધી 8 લાખ બાળકોનું આને લઈને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં પણ કેમ્પ લગાવીને બાળકોને રસી લગાવવાની તૈયારી છે. આ ઉપરાંત 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો અને હેલ્થ તથા ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ પણ આપવાની તૈયારી છે.