ગુજરાતમાં કોરોના વાયરસે માઝા મુકી છે, જો કે, સમગ્ર રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં હાલ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે, આ બંન્ને મહાનગરોમાં કોરોનાના ચિંતાજનક કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ મનપાએ કન્ટેનમેન્ટ ઝોનના લૉકડાઉનને લઇને મોટો નિર્ણય લીધો છે.
AMCનો મોટો નિર્ણય
કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અવધિ વધારાઇ
કન્ટેનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી રહેશે લોકડાઉન
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે રાજ્યમાં પહેલી ઓગસ્ટથી તમામ વિસ્તારોમાંથી કરફ્યુ સંપૂર્ણપણે ઊઠાવી લેવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે, અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ વધુ વણસેલી હોવાથી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અવધિ વધારવાનો અમદાવાદ મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
કન્ટેનમેન્ટ ઝોનમાં હવેથી 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન
ઉલ્લેખનીય છે કે, કન્ટેનમેન્ટ ઝોનમાં હવેથી 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન રહેશે. આ સાથે જ કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તરોમાં સૂચનાઓ અનુસાર પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1033 નવા કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1033 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 79,816 પર પહોંચ્યો હતો. આ સાથે જ 1083 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 62,597 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.40 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.