Corona, which has reached all over the world, did not go here, not a single case, because it is very shocking.
મહામારી /
આખા વર્લ્ડમાં પહોંચેલા કોરોનાનું ભારતમાં એક ઠેકાણે ન ચાલ્યું ગજુ, એક કેસ નહીં, કારણ ખૂબ ચોંકાવનારુ
Team VTV06:52 PM, 16 Feb 22
| Updated: 09:07 PM, 16 Feb 22
કોરોના વાયરસ આખી દુનિયામાં પહોંચ્યો છે પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં હજુ સુધી કોરોનાનું કંઈ ગજું ચાલ્યું નથી.
આખી દુનિયામાં ફેલાયો કોરોના
ભારતમાં એક જગ્યાએ ન ચાલ્યું કોરોનાનું ગજું
હિંદ મહાસાગર સ્થિત એકાંત ટાપુ પર કોરોના ન પહોંચ્યો
કોરોના વાયરસે આખી માનવતાને હચમચાવી નાખી, દુનિયામાં કોઈ એવો દેશ નહોતો જ્યાં આ વાયરસે પોતાનું પ્રદર્શન ન કર્યું હોય. હવે ભલે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો હોય, પરંતુ હજુ પણ ઘણા દેશોમાં ઘણી તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી હતી કે પૃથ્વીનો કયો ખૂણો છે જ્યાં કોરોના વાયરસ પહોંચ્યો નથી.ભારતમાં એક એવી જગ્યાની માહિતી સામે આવી કે જ્યાં કોરોનાનું કંઈ ગજુ ચાલ્યું નથી અને હજુ સુધી એક પણ કેસ નોંધાયેલો નથી. સાવ એવું પણ નથી કે અહીં કોઈ વસતુ નથી. 400 આદિવાસીઓ અહીં વર્ષોથી રહે છે.
હિંદ મહાસાગર સ્થિતિ એકાંત ટાપુ પર હજુ સુધી કોરોના પહોંચ્યો નથી
હિંદ મહાસાગર સ્થિતિ એકાંત ટાપુ પર હજુ સુધી કોરોના પહોંચ્યો નથી કારણ કે ત્યાં કોઈ જઈ શકતું નથી, ત્યાં વસતા સેન્ટિનલ જનજાતિના લોકો કોઈને પણ અહીં ફરકવા દેતા નથી. રિપોર્ટ અનુસાર સેન્ટિનલ આઇલેન્ડ અંદમાન આઇલેન્ડનો ભાગ છે અને તે મ્યાનમારની સરહદથી લગભગ 500 માઇલ દૂર છે. આ સ્થાન વિશે કહેવામાં આવે છે કે કોરોના વાયરસ અહીં સુધી પણ પહોંચી શક્યો નથી કારણ કે તે આખી દુનિયાથી કપાઈ ગયો છે. અહીં રહેતા લોકો દુનિયાના લોકોને નફરત કરે છે. જ્યારે કોઈ આ વિસ્તારમાં પહોંચે છે, ત્યારે તેઓ તેને પોતાનો દુશ્મન માને છે અને તેને મારવા માટે તૈયાર થઈ જાય છે.
વસવાટવાળા ટાપુ પર કોરોના કેમ ન પહોંચ્યો
આ ટાપુના સંપૂર્ણપણે કોરોના મુક્ત રહેવા પાછળ અહીં વસતા સેન્ટિનલ આદિવાસીઓ દ્વારા બહારના લોકો પર મૂકવામાં આવેલો પ્રતિબંધ છે. સેન્ટિનલ આદિવાસીઓ બહારના કોઈ પણ વ્યક્તિને અહીં આવવા દેતા નથી અને આવે તો બાણથી મારી નાખે છે તેને કારણે અહીં વસતા 400 થી વધારે આદિવાસીઓ કોરોના મુક્ત રહ્યાં છે.
આ ટાપુ પર માત્ર સેન્ટિનલ જનજાતિના લોકો જ રહે છે
આ ટાપુ પર માત્ર સેન્ટિનલ જનજાતિના લોકો જ રહે છે, તેમની વસ્તી 400ની આસપાસ હોવાનું કહેવાય છે, પરંતુ તે વધુ પણ હોઈ શકે છે. આ લોકો બાણથી બહારના લોકો પર હુમલો કરે છે. એવું કહેવામાં આવે છે કે આ જનજાતિ આ ટાપુ પર 60 હજાર વર્ષથી વધુ સમયથી રહે છે. આ સમય દરમિયાન જે પણ કબીલાની નજીક આવ્યો હતો, તે પાછો ફર્યો ન હતો અથવા તેના મૃત્યુના સમાચાર આવ્યા છે.